કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. ગુપ્તવંશનો પ્રથમ રાજા શ્રી ગુપ્ત હતો.
2. સમુદ્રગુપ્તના વિજયો વિષે, કવિ હરિષેણ રચિત સ્તંભ લેખ-પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે.
3. ચંદ્રગુપ્ત દ્વિતીય-ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો.
1. જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલ છે. ખાપરા કોડિયાની ગુફાઓમાં 20 સ્તંભો આવેલ છે.
2. ખંભાલીડાની ગુફાઓ રાજકોટ જીલ્લામાં આવેલી છે.
3. સાણા ગુફા 62 ગુફાઓનો સમૂહ છે અને તે ગિર સોમનાથ જિલ્લામાં આવેલ છે.
1. ગુજરાતના નાટય કલાકારોમાં 'જયશંકર સુંદરી'નું નામ મોખરે ગણાય છે.
2. ભવાઈ અસાઈત ઠાકર દ્વારા શરૂ કરાયેલ લગભગ 1000 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે.
3. ‘માળીનો ચાળો' અને 'ઠાકર્યાચાળો' નૃત્યો મુખ્યત્વે ડાંગમાં જોવા મળે છે.
1. ભારતમાં પોર્ટુગીઝોનું આગમન કાલિકટ બંદરે થયેલ હતું અને તેઓએ કોચીન, દિવ, દમણ, ગોવામાં વેપારીક કેન્દ્રો શરૂ કરેલ હતાં.
2. ડચ લોકોએ સુરત, ભરૂચ, ખંભાત, કોચીન જેવા વિસ્તારોમાં “વેપારી' કોઠીઓની સ્થાપના કરેલ હતી.
3. બ્રિટનનાં મહારાણીએ “રોયલ ચાર્ટર એક્ટ - 1600” દ્વારા ઈસ્ટ ઈન્ડીયા કંપનીને પૂર્વીય વિસ્તારમાં વેપારનો પરવાનો આપેલ હતો.
1. રાજા રામ મોહન રાય દ્વારા બ્રહ્મસમાજની સ્થાપના કરવામાં આવેલ હતી.
2. મહાત્મા જ્યોતીબા ફુલેએ કન્યા કેળવણી માટે વિદ્યાલયો અને અનાથાલયો શરૂ કરેલ હતા. “સત્યશોધક સમાજ'ની સ્થાપના તેઓએ કરેલ હતી.
1. 1885 થી 1905 સુધીની હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કામગીરી, મવાળ ઠરાવો અને દેશ માટેની કામગીરીના ઠરાવો વિનંતીની ભાષામાં કરવામાં આવેલ હતા.
2. 1906 - 1919 ના સમયગાળામાં, જહાલવાદી અને મવાળવાદી નેતાઓમાં વૈમનસ્ય વધેલ હતું. આ સમય દરમ્યાન પરદેશમાં પણ સ્વતંત્રતા મેળવવા કાર્યવાહી કરવામાં આવેલ હતી.
1. હિંદ સ્વાતંત્ર ધારો 1947માં પસાર કરવામાં આવેલ હતો. જેમાં ભારત, પાકિસ્તાનને બે ભાગમાં વહેંચીને સ્વતંત્ર કરવામાં આવેલ હતા.
2. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ શ્રી વી. પી. મેનને દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે વ્યવહારી બુદ્ધિથી વિલિનીકરણ કરેલ હતું. આ કાર્યમાં પ્રથમ પહેલ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરેલ હતી.
1. સિદ્ધરાજ જયસિંહના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ “સિદ્ધહેમ શબ્દાનુશાસન'ની રચના કરેલ હતી.
2. રાણી ઉદયમતિએ પ્રજાના કલ્યાણ માટે સાત માળની, કલા અને વાસ્તુ, સ્થાપત્યના નમૂનારૂપ વાવ બંધાવેલ હતી.
1. ઉત્તર ભારતના મંદિરોની સ્થાપત્યશૈલી નાગરશૈલી તરીકે પ્રખ્યાત છે.
2. દક્ષિણ ભારતના મંદિરોની સ્થાપત્યશૈલી, દ્રવિડશૈલી તરીકે ઓળખાય છે.
3. બૃહદેશ્વર મંદિર ચંદેલ વંશ દ્વારા નિર્માણ કરવામાં આવેલ હતું. હમ્પીનું મંદિર ચોલા રાજવીઓએ બનાવેલ હતું.
1. પલ્લવ વંશના રાજવીઓએ મહાબલિપુરમ્ મંદિરની રચના કરેલ હતી. મુળ સાત ખડકમંદિરો હતા, જ્યારે આજે પાંચ મંદિરો હયાત છે.
2. કોણાર્કનું સૂર્યમંદિર, કાળા પથ્થરોથી બનેલ છે. તેથી તેને “કાળા પેગોડા' નામથી પણ ઓળખવામાં આવે છે, મોઢેરા ખાતેનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજવીએ બંધાવેલ હતું.
1. ભાવનગરમાં ઈ.સ. 1884 માં શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.
2. જુનાગઢમાં ઈ.સ. 1900 માં બહાઉદ્દીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.
1. ભારતમાં સત્યાગ્રહનો સર્વપ્રથમ પ્રયોગ ગાંધીજીએ ચંપારણમાં કર્યો હતો.
2. ગિરમિટિયા પ્રણાલી નાબૂદ કરવામાં ગાંધીજીની ભૂમિકા હતી.
3. 15મી ઓગસ્ટ, 1947 ના દિવસે ભારતના સ્વતંત્રતા ઉત્સવ પ્રસંગે રાજધાની દિલ્હીમાં ગાંધીજી ઉપસ્થિત હતા.
Comments (0)