ગુજરાતનો ઇતિહાસ

  • 211) ભારતમાં સૌથી વધુ વસતીવાળુ હડપ્પન સ્થળ ક્યું છે ? - કુંતાસી
  • 212) હડપ્પન વ્યાપાર કેન્દ્ર તરીકે ક્યું સ્થળ જાણીતું છે ? - લોથલ
  • 213) હડપ્પન પશુપાલન મથક તરીકે ક્યું સ્થળ જાણીતું છે ? - નેસડી
  • 214) ગુર્જર પ્રતિહાર વંશના પ્રથમ મહાન શાસક હતા ? - નાગભટ્ટ
  • 215) ગુર્જર પ્રતિહાર વંશના બીજા મહાન પરાક્રમી શાસક કોણ હતા? ભોજ - પ્રથમ
  • 216) ગુર્જર પ્રતિહાર વંશના બીજા મહાન પરાક્રમી શાસક કોણ હતા ? - ભોજ પ્રથમ
  • 217) ડભોઈના વિખ્યાત મંદિરો...... દ્વારા બાંધવામાં આવ્યા હતા. - વીસળદેવ વાઘેલા
  • 218) ગોરીલાની ટેરાકોટા પ્રતિકૃતિ ક્યા સ્થળેથી મળી આવી છે ? - લોથલ
  • 219) દેલવાડા ખાતે આવેલ આદિનાથ જૈન મંદિરોનું નિર્માણ.... દ્વારા કરવામાં આવ્યું. - વિમલમંત્રી
  • 220) ઐતિહાસિક પુરાવા આધારે ગુજરાતના સુદર્શન તળાવનો જિર્ણોદ્ધાર ગુપ્તકાળમાં થયો હતો તે અગાઉ ક્યા રાજાએ તેનો જિર્ણોદ્ધાર કરાવેલ હતો ? - રુદ્રદામન પહેલો
  • 221) સંસ્કૃત ભાષામાં સૌપ્રથમ સત્તાવાર રેકોર્ડ છે તેવો પ્રાચીનતમ શિલાલેખ ક્યો છે ? - જૂનાગઢના ખડકનો શિલાલેખ
  • 222) ક્યા બે મહાન કિલ્લા મહંમદ બેગડા દ્વારા જીતાયેલા હતા ? - જૂનાગઢ અને ચાંપાનેરના કિલ્લા
  • 223) મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું અને લૂંટી લીધુ તે સમયે સોલંકી વંશનો શાસક કોણ હતો ? - ભીમ પહેલો
  • 224) અણહિલપુર પાટણ તેની રાજધાની હતી તેવા ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી ? - મૂળરાજ પ્રથમ
  • 225) ક્યા શાસકે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવેલ અને ડબોઈ, વીરપુર વગેરે સ્થળોએ વાવ બંધાવેલ ? - સિદ્ધરાજ જયસિંહ
  • 226) હડપ્પન સમયગાળાનો હોડીનો નમૂનો....થી મળી આવ્યાના અહેવાલ છે. - લોથલ
  • 227) ધૂમલીનું નવલખા મંદિર બારમી સદીમાં... દ્વારા બાંધવામાં આવ્યું હતું. - જેઠવા
  • 228) હડપ્પન સમયગાળાની હોડી આકારની કુલડી.......માં મળી આવી હતી. - ધોળાવીરા
  • 229) ગુજરાતનું સૌથી મોટું હડપ્પીય સ્થળ ક્યું છે ? - ધોળાવીરા
  • 230) સતી તરીકે ઓળખાતા જોડીયા ભૂમિદાહ ક્યાંથી મળેલા છે ? - લોથલ
  • 231) ઈ.સ.ની પ્રથમ સહસ્ત્રાબ્દિના અંતિમ શતકોમાં અને બીજી સહસ્ત્રાબ્દિના પ્રારંભિક શતકોમાં ક્યા સિક્કા ચલણમાં હતા ? - ગધૈયા સિક્કા
  • 232) ગધૈયા સિક્કા કઈ ધાતુના હતા ? - ચાંદીનો ઢોળ ચડાવેલા કાંસાના સિક્કા
  • 233) મહાગુજરાત આંદોલનના સંદર્ભે મુંબઈ રાજ્યના મુખ્યમંત્ર.... - અલગ રાજ્યના વિરોધી હતા (મોરારજી દેસાઈ)
  • 234) પર્શિયનને અદાલતી ભાષા તરીકે નાબૂદ કરીને સ્થાનિક ભાષાઓને ઉપયોગમાં લેવાનો આદેશ કોણે આપ્યો ? - વિલિયમ બેન્ટિક
  • 235) વોકર સેટલમેન્ટ કોની વચ્ચે થયો હતો ? - વડોદરાના ગાયકવાડ પરિવાર અને સૌરાષ્ટ્રના સરદારો
  • 236) ક્યા રાજવંશે વોકર સેટલમેન્ટનું સ્વાગત કર્યું કેમકે એનાથી કોઈ લશ્કરી ચડાઈઓ વગર નિયમિત ચૂકવણીની ખાતરી મળતી હતી ? - વડોદરાના ગાયકવાડ
  • 237) સુલતાન બહાદુરશાહે પોર્ટુગીઝોને ક્યા કિલ્લો બાંધવાની પરવાનગી આપી હતી ? - દીવ
  • 238) વડોદરામાં ગાયકવાડ મરાઠા શાસનની સ્થાપના કોણે કરી ? - પિલાજીરાવ
  • 239) શ્યામજીકૃષ્ણ વર્માએ ક્યા રજવાડામાં સેવાઓ આપેલી છે ? - રતલામ, ઉદેપુર, જૂનાગઢ
  • 240) ક્યા રજવાડામાં સૌપ્રથમ પ્રજામંડળની રચના કરાઈ હતી ? - વડોદરા

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up