ગુજરાતનો ઇતિહાસ
- 181) બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી ક્યા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? - 1893
- 182) પદ્મનાભ કૃત કાન્હડે પ્રબંધ ..... ભાષામાં છે. - ગુજરાતી
- 183) જે વર્ષમાં અમદાવાદની કિલ્લેબંધી પૂર્ણ કરવામાં આવી હતી કહે છે. - ખીરક
- 184) ક્યો માટીકામ તબક્કો મહાભારત સાથે સંકળાયેલ છે ? - ઉત્તરીય કાળી પોલીશના વાસણો
- 185) મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડી કૂચ ક્યા દિવસે દાંડી પહોંચી ? - 5 એપ્રિલ
- 186) ગાંધીજી અભ્યાસ માટે સૌપ્રથમ વખત વિલાયત જવા ક્યારે રવાના થયા? - 1888
- 187) ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? - અસહકાર આંદોલન
- 188) સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઈતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ? - શંકરલાલ પરીખ
- 189) સૌરાષ્ટ્રમાં વોકર સમાધાનની એક મહત્ત્વની કલમ કઈ હતી ? - સ્ત્રી બાળહત્યાની પ્રથા પર પ્રતિબંધ, દૂધ પીતી
- 190) ગુજરાતના પ્રાચીન ઈતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નામ સૌથી વધુ જાણીતું છે ? - ડૉ.હસમુખ સાંકળીયા
- 191) સુલતાન અહમદશાહે ગુજરાતમાં ‘વાંટાની પ્રથા’ દાખલ કરી તે કઈ બાબતને સ્પર્શતી હતી ? - જમીન
- 192) ગુજરાત પર અલાઉદ્દીન ખલજીના આક્રમણ સમયે કોનું શાસન હતું ? - કર્ણદેવ વાઘેલા
- 193) પ્રાચીન સમયમાં ભરૂચ શહેરનો ઉલ્લેખ ક્યા નામથી થતો - બ્રોચ, ભૃગુકચ્છ, બારીગાઝા
- 194) ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને અવનીજનાશ્રયનું બિરુદ પ્રદાન કરવામાં આવ્યું હતું ? - પુલકેશી
- 195) ગુજરાતનું ક્યું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હરપ્પન સંસ્કૃતિનું સમકાલિન છે ? - લાંઘણજ
- 196) ગુજરાતના સલ્તનતના છેલ્લા શક્તિશાળી સુલતાન, બહાદુરશાહને કોણે મારી નાખ્યો ? - પોર્ટુગીઝ
- 197) બેંક ઓફ બરોડાની સ્થાપના કોણે કરી હતી? - સયાજીરાવ ગાયકવાડે
- 198) ગુજરાતમાં સૌપ્રથમ નિઃશુલ્ક અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કોણે કરી હતી ? - સયાજીરાવ ગાયકવાડ
- 199) વર્ષ 1916માં વડોદરા રાજ્ય પ્રધાનમંડળની સ્થાપના કોણે કરી હતી ? - સયાજીરાવ ગાયકવાડ
- 200) ગાંધીજીના રાષ્ટ્રવાદી વિચારની વિશેષતાઓ કઈ કઈ છે ? - સહાનુભૂતિશીલ વલણ, સહિષ્ણુતા, આધ્યાત્મિકતા
- 201) ક્યા સોલંકી રાજાએ સોમનાથ યાત્રાળુઓનો કર માફ કર્યો હતો? - સિદ્ધરાજ જયસિંહ
- 202) ‘વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ? - મહિપતરામ રૂપરામ
- 203) ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની કઈ હતી ? - ધોળકા
- 204) મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના ક્યા રાજવીના શાસન કાળમાં બંધાયું હતું ? - ભીમદેવ પહેલો
- 205) ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ? - 25 મે, 1915
- 206) ભાવનગર રાજ્યના ક્યા રાજવીને ‘મહારાજા રાવ’ તરીકેનો ઈલ્કાબ મળેલ હતો ? - શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી
- 207) અહલ્યાબાઈ હોલ્કરે ગુજરાતના ક્યા મંદિરનો પુનરોદ્વાર કરાવ્યો હતો ? - સોમનાથ મંદિર
- 208) પ્રખ્યાત ઈન્ડિયન નેશનલ આર્મી કેસ (INA case) દરમિયાન બચાવ પક્ષ તરીકે કોણે વકીલ તરીકેની મહત્ત્વની દલીલો કરી હતી ? - ભુલાભાઈ દેસાઈ
- 209) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતુ તેવા પુરાવા ક્યા સ્થળેથી મળી આવ્યા છે ? - લોથલ
- 210) ચાવડા, વાઘેલા અને ચાલુક્ય રાજવંશનો લિખિત ઈતિહાસ કઈ કૃતિમાં આલેખાયેલો છે ? - પ્રબંધચિન્તામણિ
Comments (0)