ગુજરાતનો ઇતિહાસ

  • 181) બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી ક્યા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? - 1893
  • 182) પદ્મનાભ કૃત કાન્હડે પ્રબંધ ..... ભાષામાં છે. - ગુજરાતી
  • 183) જે વર્ષમાં અમદાવાદની કિલ્લેબંધી પૂર્ણ કરવામાં આવી હતી કહે છે. - ખીરક
  • 184) ક્યો માટીકામ તબક્કો મહાભારત સાથે સંકળાયેલ છે ? - ઉત્તરીય કાળી પોલીશના વાસણો
  • 185) મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડી કૂચ ક્યા દિવસે દાંડી પહોંચી ? - 5 એપ્રિલ
  • 186) ગાંધીજી અભ્યાસ માટે સૌપ્રથમ વખત વિલાયત જવા ક્યારે રવાના થયા? - 1888
  • 187) ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? - અસહકાર આંદોલન
  • 188) સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઈતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ? - શંકરલાલ પરીખ
  • 189) સૌરાષ્ટ્રમાં વોકર સમાધાનની એક મહત્ત્વની કલમ કઈ હતી ? - સ્ત્રી બાળહત્યાની પ્રથા પર પ્રતિબંધ, દૂધ પીતી
  • 190) ગુજરાતના પ્રાચીન ઈતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નામ સૌથી વધુ જાણીતું છે ? - ડૉ.હસમુખ સાંકળીયા
  • 191) સુલતાન અહમદશાહે ગુજરાતમાં ‘વાંટાની પ્રથા’ દાખલ કરી તે કઈ બાબતને સ્પર્શતી હતી ? - જમીન
  • 192) ગુજરાત પર અલાઉદ્દીન ખલજીના આક્રમણ સમયે કોનું શાસન હતું ? - કર્ણદેવ વાઘેલા
  • 193) પ્રાચીન સમયમાં ભરૂચ શહેરનો ઉલ્લેખ ક્યા નામથી થતો - બ્રોચ, ભૃગુકચ્છ, બારીગાઝા
  • 194) ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને અવનીજનાશ્રયનું બિરુદ પ્રદાન કરવામાં આવ્યું હતું ? - પુલકેશી
  • 195) ગુજરાતનું ક્યું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હરપ્પન સંસ્કૃતિનું સમકાલિન છે ? - લાંઘણજ
  • 196) ગુજરાતના સલ્તનતના છેલ્લા શક્તિશાળી સુલતાન, બહાદુરશાહને કોણે મારી નાખ્યો ? - પોર્ટુગીઝ
  • 197) બેંક ઓફ બરોડાની સ્થાપના કોણે કરી હતી? - સયાજીરાવ ગાયકવાડે
  • 198) ગુજરાતમાં સૌપ્રથમ નિઃશુલ્ક અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કોણે કરી હતી ? - સયાજીરાવ ગાયકવાડ
  • 199) વર્ષ 1916માં વડોદરા રાજ્ય પ્રધાનમંડળની સ્થાપના કોણે કરી હતી ? - સયાજીરાવ ગાયકવાડ
  • 200) ગાંધીજીના રાષ્ટ્રવાદી વિચારની વિશેષતાઓ કઈ કઈ છે ? - સહાનુભૂતિશીલ વલણ, સહિષ્ણુતા, આધ્યાત્મિકતા
  • 201) ક્યા સોલંકી રાજાએ સોમનાથ યાત્રાળુઓનો કર માફ કર્યો હતો? - સિદ્ધરાજ જયસિંહ
  • 202) ‘વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ? - મહિપતરામ રૂપરામ
  • 203) ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની કઈ હતી ? - ધોળકા
  • 204) મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના ક્યા રાજવીના શાસન કાળમાં બંધાયું હતું ? - ભીમદેવ પહેલો
  • 205) ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ? - 25 મે, 1915
  • 206) ભાવનગર રાજ્યના ક્યા રાજવીને ‘મહારાજા રાવ’ તરીકેનો ઈલ્કાબ મળેલ હતો ? - શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી
  • 207) અહલ્યાબાઈ હોલ્કરે ગુજરાતના ક્યા મંદિરનો પુનરોદ્વાર કરાવ્યો હતો ? - સોમનાથ મંદિર
  • 208) પ્રખ્યાત ઈન્ડિયન નેશનલ આર્મી કેસ (INA case) દરમિયાન બચાવ પક્ષ તરીકે કોણે વકીલ તરીકેની મહત્ત્વની દલીલો કરી હતી ? - ભુલાભાઈ દેસાઈ
  • 209) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતુ તેવા પુરાવા ક્યા સ્થળેથી મળી આવ્યા છે ? - લોથલ
  • 210) ચાવડા, વાઘેલા અને ચાલુક્ય રાજવંશનો લિખિત ઈતિહાસ કઈ કૃતિમાં આલેખાયેલો છે ? - પ્રબંધચિન્તામણિ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up