26 થી 30 એપ્રીલ 2026 નું કરંટ અફેર્સ
3) FATF અને તેની યાદીઓ બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. ‘ગ્રે લિસ્ટ’ને ‘સઘન દેખરેખ હેઠળનાં અધિકારક્ષેત્રો’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
2. ‘બ્લેક લિસ્ટ’માં એવા દેશોને મૂકવામાં આવે છે જે મની લોન્ડરિંગ રોકવામાં FATFને પૂરતો સહકાર આપતા નથી.
3. ભારત વર્ષ 2010થી FATFનો સભ્ય છે.
સાચાં વિધાનો પસંદ કરો :
6) વર્ષ 2026માં નવી દિલ્હીમાં આયોજિત ‘11મા રાયસિના ડાયલોગ’માં મુખ્ય અતિથિ તરીકે કોણે હાજરી આપી હતી ?
9) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુ અને પુડુચેરીમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, તે સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.
1. તામિલનાડુમાં કનેક્ટિવિટી અને આર્થિક વૃદ્ધિ માટે ₹ 5,650 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું.
2. ચેન્નાઈના મનાલી ખાતે વાર્ષિક 672 MTPA ક્ષમતા ધરાવતા લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.
3. પુડુચેરીમાં JIPMER ખાતે આધુનિક રિજનલ કેન્સર સેન્ટર (RCC)નું ઉદ્ઘાટન કર્યું.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
12) નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ ‘ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ (FHI) 2026’ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ ઇન્ડેક્સ CAG દ્વારા પૂરા પાડવામાં આવેલા નાણાકીય વર્ષ 2023-24ના ડેટા પર આધારિત છે.
2. મુખ્ય રાજ્યોની શ્રેણીમાં ઓડિશા 73.1ના સ્કોર સાથે પ્રથમ ક્રમે છે.
3. ગુજરાત 49.9ના સ્કોર સાથે ‘અચિવર’ ગ્રૂપમાં સામેલ છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
19) સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. ગુજરાતી ભાષા માટે યોગેશ વૈદ્યને તેમના કાવ્યસંગ્રહ ‘ભઠ્ઠખડકી’ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
2. આ પુરસ્કાર બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ 22 ભાષાઓમાં જ આપવામાં આવે છે.
3. ગુજરાતી ભાષાના વિજેતા નક્કી કરનાર જ્યુરીમાં પ્રોફેસર વિનોદ જોશીનો સમાવેશ થતો હતો.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
20) ઇચ્છામૃત્યુ (Euthanasia) સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. ‘કોમન કોઝ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા (2018)’ કેસમાં સુપ્રીમ કોર્ટે ‘ગરિમા સાથે મૃત્યુ પામવાના અધિકાર’ને અનુચ્છેદ 21 હેઠળ મૂળભૂત અધિકાર ગણાવ્યો છે.
2. ભારતમાં સક્રિય ઇચ્છામૃત્યુ (Active Euthanasia) કાયદેસર છે.
3. હરીશ રાણા કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુના વ્યવહારિક અમલીકરણની મંજૂરી આપી છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
22) જ્ઞાનપીઠ પુરસ્કાર વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. આ પુરસ્કારની સ્થાપના વર્ષ 1961માં કરવામાં આવી હતી.
2. વર્ષ 2013થી આ પુરસ્કારમાં અંગ્રેજી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
3. આ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી હતાં.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Comments (0)