માર્ચ 2026
3) વર્લ્ડ કેન્સર ડે અને ભારતની પ્રથમ કેન્સર માર્ગદર્શિકા બાબતે કયાં વિધાનો સાચાં છે ?
1. વર્લ્ડ કેન્સર ડે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે.
2. વર્ષ 2025-2027 માટેની થીમ 'યુનાઇટેડ બાય યુનિક' છે.
3. ભારતની પ્રથમ સ્વદેશી માર્ગદર્શિકા 'લન્ગ કેન્સર' (ફેફસાના કેન્સર)ની સારવાર માટે જાહેર કરવામાં આવી છે.
6) કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય ગાન (National Song) ને રાષ્ટ્રીગીત (National Anthem) નાં નવા પ્રોટોકોલ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. જો કોઈ કાર્યક્રમમાં વંદે માતરમ્ અને જન ગણ મન બંને રજૂ કરવાનાં હોય, તો પ્રથમ રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાવું જોઈએ.
2. 'વંદે માતરમ્'નાં સંપૂર્ણ 6 પદો ધરાવતી આવૃત્તિ ગાવા માટેનો અંદાજિત સમય 3 મિનિટ અને 10 સેકન્ડ રહેશે.
3. લશ્કરી કે પોલીસ બેન્ડ દ્વારા પ્રસ્તુતિ પૂર્વે 7 ડગલાંના તાલ સાથે “ડ્રમ રોલ” વગાડવો અનિવાર્ય છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
14) ભગવાન બુદ્ધના પવિત્ર 'દેવની મોરી' અવશેષોના પ્રદર્શન સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ અવશેષોનું પ્રદર્શન શ્રીલંકાના કોલંબોમાં ગંગારામાયા. મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
2. દેવની મોરી અવશેષોનું, ભારતની બહાર આ પ્રથમ જાહેર પ્રદર્શન છે.
૩. દેવની મોરી એ ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્વો નદી કિનારે આવેલું સ્થળ છે.
સાચાં વિધાન/વિધાનો પસંદ કરો :
21) 'પ્રોજેક્ટ વોલ્ટ' (Project Vault)ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો.
1. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યૂહાત્મક ખનીજો માટે વિદેશી દેશો વિશેની USAની નિર્ભરતા ઘટાડવાનો છે.
2. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 12 અબજ US ડોલરનું કુલ ફન્ડિંગ નિર્ધારિત કરવામાં આવ્યું છે.
૩. આ પ્રોજેક્ટમાં ઉત્પાદકો માટે 60 દિવસનો ઇમરજન્સી સપ્લાય બફર જાળવવામાં આવશે.
ઉપર આપેલ વિધાનોમાંથી કયાં વિધાનો સાચાં છે ?
23) સ્ટાર્ટઅપ રેકગ્નિશન ફ્રેમવર્ક અંગે નીચેના વિધાનો ધ્યાને લો.
1. સામાન્ય સ્ટાર્ટઅપ માટે વાર્ષિક ટર્નઓવરની મર્યાદા 100 કરોડથી વધારી 200 કરોડ કરવામાં આવી છે.
2. પ્રથમ વખત સહકારી મંડળીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવાનું નક્કી કરાયું છે.
3. ડીપ ટેક સ્ટાર્ટઅપ માટે વાર્ષિક ટર્નઓવર મર્યાદા 300 કરોડ સુધીની છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
35) કૉકિંગ કોલસાને 'મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજ' જાહેર કરવા બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. તેને MMDR એક્ટ, 1957ની પ્રથમ અનુસૂચિના ભાગ D હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.
2. ભાગ Dમાં સમાવિષ્ટ ખનિજોની હરાજી અને લાયસન્સ આપવાની વિશેષ સત્તા રાજ્ય સરકારો પાસે રહે છે.
3. સરકારના નવા સુધારા મુજબ, 'કોલસો' શબ્દની વ્યાખ્યામાં હવે 'કોકિંગ કોલસા' નો પણ સમાવેશ થાય છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
38) સેન્ટ્રલ વિસ્ટા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવનિર્મિત 'સેવાતીર્થ' સંકુલ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. સેવાતીર્થ-1માં વડા પ્રધાન કાર્યાલય (PMO)નો સમાવેશ થાય છે.
2. સેવાતીર્થ-2માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) આવેલું છે.
3. આ સંકુલનો મુદ્રાલેખ 'નાગરિકો દેવો ભવ' રાખવામાં આવ્યો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
- 1
- 2
Comments (0)