26 થી 31 જુલાઈ 2026 નું કરંટ અફેર્સ
2) વિદેશી સીધા રોકાણ (FDI) અને વિદેશી હૂંડિયામણ અંગેના પ્રસ્તાવિત ફેરફારો બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. રોકાણ માટેની વ્યક્તિગત મર્યાદા 5%થી વધારીને 10% કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
2. રોકાણ માટેની એકંદર મર્યાદા (Aggregate limit) 10%થી વધારીને 24% કરવાનો પ્રસ્તાવ છે.
3. 30 સપ્ટેમ્બર, 2026 સુધી નવી FCNR ડિપોઝિટ્સ માટેના હેજિંગનો સંપૂર્ણ ખર્ચ નાણાં મંત્રાલય ઉઠાવશે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો ખોટું/ખોટાં છે ?
10) PM સૂર્યઘર યોજના અંતર્ગત ગુજરાત દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી 4 કામગીરી આધારિત સિદ્ધિઓ સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.
1. નેશનલ પોર્ટલ પર સૌથી વધુ ગ્રાહક અરજીઓ (3 લાખથી વધુ) નોંધાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.
2. DISCOM દ્વારા સૌથી વધુ નિરીક્ષણ પૂર્ણ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.
3. સૌથી વધુ વેન્ડર નોંધણીઓ અને રૂફટોપ સોલારના કમિશનિંગમાં ગુજરાત દ્વિતીય સ્થાને રહ્યું છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો ખોટું/ખોટાં છે ?
11) વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત ‘નવસારી ડિજિટલ સબસ્ટેશન’ પ્રોજેક્ટ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ વિશ્વનું સૌથી ઉચ્ચ-વોલ્ટેજ (765kV ક્ષમતાનું) અને પ્રથમ ડિજિટલ સબસ્ટેશન છે.
2. આ પ્રોજેક્ટનું નિર્માણ ભારત સરકારના પાવર મંત્રાલયના સીધા હસ્તક કરવામાં આવ્યું છે.
3. આ સબસ્ટેશનમાં પરંપરાગત વાયરોને બદલે ફાઇબર ઓપ્ટિક્સ અને પ્રોસેસ બસ-બેઝ્ડ (IEC 61850) ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
13) ગુજરાતના જસદણની પરંપરાગત હસ્તકલા ‘પટારી’ને મળેલા GI ટેગ બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ રજિસ્ટ્રીએ આ હસ્તકલાને વર્ષ 2025-26 માટે GI ટેગ મંજૂર કર્યો છે.
2. આ હસ્તકલા મુખ્યત્વે ભાવનગર જિલ્લાના જસદણ બ્લોકમાં પેઢીઓથી પ્રચલિત છે.
3. આ પટારીઓ બનાવવામાં કિંમતી ધાતુઓ, આકર્ષક રંગો અને લાકડાની જટિલ કોતરણીનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
17) નાણાકીય વર્ષ 2025-2026 માટે સી-ફૂડ નિકાસ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. કુલ નિકાસ જથ્થો 19,72,018 મેટ્રિક ટન (MT) રહ્યો હતો.
2. જથ્થાની દૃષ્ટિએ (Volume Wise) ચીન ભારતનો સૌથી મોટો સી-ફૂડ આયાતકાર દેશ છે.
3. આ માહિતી મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (MPEDA) દ્વારા જાહેર કરવામાં આવી છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
18) સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) અને ZCZP ઇન્સ્ટ્રુમેન્ટ્સના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. ZCZP ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરનાર કંપનીને રોકાણ કરેલી મૂળ રકમ (મુદ્દલ) પ્રોજેક્ટના અંતે પરત મળવાપાત્ર છે.
2. SSE પર નોંધાયેલી સંસ્થાઓએ તેમની કુલ પ્રવૃત્તિઓમાંથી ઓછામાં ઓછી 67% પ્રવૃત્તિઓ સામાજિક ઉદ્દેશ્યો પાછળ ખર્ચવી ફરજિયાત છે.
3. કંપનીઓ પોતાના કુલ વાર્ષિક CSR ખર્ચના વધુમાં વધુ 10% સુધીનો ખર્ચ ZCZP ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા કરી શકે છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
19) 'મિશન ફોર એડવાન્સમેન્ટ ઈન હાઈ-ઈમ્પેક્ટ એરિયાઝ' (MAHA) વિશે નીચેનાં વિધાન ચકાસો.
1. જળક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ દ્વારા કરવામાં આવેલા સંશોધનને પ્રયોગશાળા પૂરતું મર્યાદિત ન રાખીને, તેનો વાસ્તવિક જમીની સ્તરે અમલ કરવો.
2. શરૂઆતમાં આ પ્રોજેક્ટ 3 વર્ષ માટે રહેશે, પરંતુ કામગીરીનાં ઉત્કૃષ્ટ પરિણામોના આધારે તેને વધુ 2 વર્ષ માટે લંબાવી શકાશે.
3. આ મિશન અંતર્ગત શિક્ષણ જગત, ઉદ્યોગ જગત અને સરકાર વચ્ચે સહયોગ વધારીને સ્થાનિક જરૂરિયાતો અનુસાર જળ-ઉકેલો વિકસાવશે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
21) પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ચેર (PMRC) યોજના વિશે નીચેનાં વિધાન ચકાસો.
1. મિશનનો ઉદ્દેશ્ય સંશોધન, નવીનીકરણ તથા ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ ધરાવતા ભારતીય મૂળના વૈજ્ઞાનિકો અને પ્રોફેશનલ્સને ભારત પરત લાવીને, દેશની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે.
2. આ યોજના હેઠળ કુલ 500 રિસર્ચ પોઝિશન ઊભી કરવામાં આવશે.
3. આ યોજના અંતર્ગત સંશોધન માટે 13 ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
23) 'અભિલાષા બાયોફ્યુઅલ્સ (ABF)' પ્રોજેક્ટ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તે પ્રથમ પેઢી (1G) બાયોફ્યુઅલના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ છે.
2. તેમાં કાચા માલ તરીકે કૃષિ સંબંધિત પ્રવૃત્તિમાંથી નીકળતા કચરા તથા અવશેષોનો ઉપયોગ કરવામાં આવશે.
3. આ ટેક્નોલોજીમાં થર્મો-કેમિકલ રૂપાંતરણ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
25) ભારતની 100મી રામસર સાઇટ તરીકે જાહેર થયેલ ‘સુરહા તાલ’ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં આવેલી રાજ્યની 13મી રામસર સાઇટ છે.
2. તે ગંગા અને સરયૂ નદીના વિસ્તારમાં આવેલું એક કુદરતી બારમાસી ઓક્સબો (સર્પાકાર) તળાવ છે.
3. ઉત્તર પ્રદેશ સરકારે વર્ષ 2002માં તેનું નામ બદલીને ‘જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય’ રાખ્યું હતું.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
Comments (0)