11 થી 15 જુન 2026 નું કરંટ અફેર્સ
3) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રજૂ કરવામાં આવેલા એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ (ECL) ફ્રેમવર્ક સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.
1. આ ફ્રેમવર્ક 1 એપ્રિલ, 2027થી અમલી બનશે.
2. આ મોડેલ એક ભવિષ્યલક્ષી (Forward-looking) અભિગમ છે, જેમાં બેન્કોએ લોન આપતી વખતે જ ડિફોલ્ટની સંભાવનાને આધારે અગાઉથી નાણાં અલગ રાખવા પડશે.
3. તબક્કા 1 (Stage 1) હેઠળ ન્યૂનતમ જોખમ ધરાવતી સ્ટાન્ડર્ડ એસેટ્સ માટે બેન્કોએ આજીવન (Lifetime) ECLની જોગવાઈ કરવી પડશે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન સાચું/સાચાં છે?
5) એલિફન્ટા ટાપુના ઉત્ખનન અને ઇતિહાસ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. તાજેતરમાં એલિફન્ટા ટાપુના 'રાજબંદર' વિસ્તારમાંથી 1500 વર્ષ જૂની વાવ (જળાશય) મળી આવી છે.
2. ઉત્ખનનમાંથી મળેલા મોટાભાગના સિક્કા કલચુરી વંશના શાસક કૃષ્ણરાજના છે, જેમાં સિક્કાઓની આગળની બાજુએ જમીન પર બેઠેલા નંદીની આકૃતિ જોવા મળે છે.
3. એલિફન્ટાની ગુફાઓને વર્ષ 1987માં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
7) SIPRI દ્વારા પ્રકાશિત ‘ટ્રેન્ડ્સ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર 2025’ રિપોર્ટ અનુસાર નીચેનાં વિધાનો ચકાસો.
1. વર્ષ 2025માં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારા દેશોની યાદીમાં USA પ્રથમ ક્રમે છે.
2. ભારત 92.1 અબજ US ડોલરના કુલ ખર્ચ સાથે આ યાદીમાં પાંચમા ક્રમે છે.
3. ગત વર્ષની સરખામણીએ ભારતના સૈન્ય ખર્ચમાં 8.9%નો વધારો નોંધાયો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
8) ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. વર્ષ 2026માં ચાન્સેલર ક્રિશ્ચિયન સ્ટોકરની મુલાકાત છેલ્લા 42 વર્ષમાં કોઈ ઓસ્ટ્રિયન ચાન્સેલરની પ્રથમ ભારત મુલાકાત હતી.
2. બંને દેશોએ રોકાણને સરળ બનાવવા માટે ‘દ્વિપક્ષીય ફાસ્ટ-ટ્રેક મિકેનિઝમ’ (FTM) લોન્ચ કર્યું છે.
3. વર્ષ 2026માં વિયેના ખાતે દ્વિપક્ષીય સ્પેસ ઇન્ડસ્ટ્રી સેમિનારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
11) ‘પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ રૂલ્સ, 2026’ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ નિયમો હેઠળ ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ (OGAI)ની સ્થાપના કરવામાં આવી છે.
2. OGAIના અધ્યક્ષ તરીકે ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય (MeitY)ના સચિવ હોદ્દાની રૂએ સેવા આપશે.
3. ઓનલાઇન ગેમ્સને આપવામાં આવતા ડિજિટલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની માન્યતા 10 વર્ષ સુધીની રહેશે.
ઉપરનાં વિધાનોમાંથી કયાં સાચાં છે ?
13) ANNAM.AI (એલાયન્સ ફોર નેક્સ્ટ-જેન નરિશમેન્ટ થ્રુ એગ્રિકલ્ચર મોડર્નાઇઝેશન)ના સંદર્ભમાં નીચેનાં જોડકાં ધ્યાને લો.
1. Swan – પંજાબમાં સ્થાપિત 100 અદ્યતન વેધર સ્ટેશન્સનું નેટવર્ક.
2. ACE – AI સંચાલિત બહુભાષી ચેટ પ્લેટફોર્મ.
3. IIT રોપર – ANNAM.AI ઇકોસિસ્ટમ લોન્ચ કરનાર સંસ્થા.
ઉપરનાં પૈકી કયાં જોડકાં સાચાં છે ?
15) કોણાર્ક સૂર્ય મંદિરના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.
1. આ મંદિરનું નિર્માણ પૂર્વ ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું.
2. તેને વર્ષ 1984માં યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયું હતું.
3. તાજેતરમાં ASI દ્વારા તેના ‘જગમોહન’ હોલમાંથી વર્ષો જૂની રેતી કાઢવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
17) તાજેતરમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા પ્રકાશિત 80મા ‘હાઉસહોલ્ડ કન્ઝમ્પશન હેલ્થ સર્વે’ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વીમાકવચ 12.9%થી વધીને 45.5% થયું છે.
2. શહેરી વિસ્તારોમાં વીમાકવચમાં ઘટાડો નોંધાયો છે.
3. વર્ષ 2025માં હોસ્પિટલાઇઝેશન દીઠ મીડિયન આઉટ-ઓફ-પોકેટ એક્સપેન્ડિચર (OOPE) ₹ 11,285 નોંધાયો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
20) તાજેતરમાં હસ્તાક્ષર થયેલા ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (IN-NZ FTA)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. આ કરાર હેઠળ ભારતને ન્યૂઝીલેન્ડ માટેની તમામ 8284 ટેરિફ લાઇન પર 100% ડ્યુટી-ફ્રી એક્સેસ પ્રાપ્ત થઈ છે.
2. સ્થાનિક હિતોના રક્ષણ માટે ડેરી ઉત્પાદનો (જેવા કે દૂધ, ચીઝ વગેરે)ને આ કરારથી મુક્ત (બાકાત) રાખવામાં આવ્યા છે.
3. ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને સ્ટાર્ટઅપ્સમાં 20 અબજ USDના રોકાણની ખાતરી આપી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
22) તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા 131માં બંધારણીય સુધારા વિધેયક, 2026ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. આ વિધેયકમાં લોકસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા વધારીને 850 કરવાની દરખાસ્ત હતી.
2. તેમાં 2011ની વસતિગણતરી આધારિત સીમાંકન પૂર્ણ થયા પછી તરત જ મહિલાઓ માટે 33% અનામત લાગુ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી.
3. આ વિધેયક સંસદમાં જરૂરી બહુમતી પ્રાપ્ત કરીને પસાર થઈ ગયું હતું.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
23) નીતિ (NITI) આયોગ અને તેના પદાધિકારીઓ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. તાજેતરમાં ડો. અશોક લાહિરીએ નીતિ આયોગના વાઇસ-ચેરમેન તરીકે સુમન બેરીનું સ્થાન લીધું છે.
2. નીતિ આયોગના અધ્યક્ષ તરીકે ભારતના વડા પ્રધાન ફરજ બજાવે છે.
3. નીતિ આયોગની રચના કારોબારી ઠરાવ દ્વારા કરવામાં આવી છે અને તે બંધારણીય સંસ્થા નથી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
24) OPEC (ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) સંગઠન સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 1 મે, 2026થી OPEC અને OPEC+માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે.
2. OPECની સ્થાપના સપ્ટેમ્બર, 1960માં ઇરાકના બગદાદ કોન્ફરન્સ ખાતે થઈ હતી.
3. UAE એ OPECના 5 સ્થાપક દેશોમાં એક દેશ છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
Comments (0)