11 થી 15 જુન 2026 નું કરંટ અફેર્સ

1) ભારતના પ્રથમ 'પ્લાન્ટ સેલ ફર્મેન્ટેશન સેન્ટર ઓફ એક્સેલન્સ' (CoE)ની સ્થાપના કઈ સંસ્થા ખાતે કરવામાં આવશે ?

Answer Is: (C) IIT મદ્રાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) વર્ષ 2026ના મહત્ત્વના દિવસો અને તેની થીમ બાબતે કઈ જોડ સાચી નથી ?

Answer Is: (D) વર્લ્ડ લિવર ડે (19 એપ્રિલ) – 'Healthy Liver, Happy Life'

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રજૂ કરવામાં આવેલા એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ (ECL) ફ્રેમવર્ક સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.

1. આ ફ્રેમવર્ક 1 એપ્રિલ, 2027થી અમલી બનશે.
2. આ મોડેલ એક ભવિષ્યલક્ષી (Forward-looking) અભિગમ છે, જેમાં બેન્કોએ લોન આપતી વખતે જ ડિફોલ્ટની સંભાવનાને આધારે અગાઉથી નાણાં અલગ રાખવા પડશે.
3. તબક્કા 1 (Stage 1) હેઠળ ન્યૂનતમ જોખમ ધરાવતી સ્ટાન્ડર્ડ એસેટ્સ માટે બેન્કોએ આજીવન (Lifetime) ECLની જોગવાઈ કરવી પડશે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન સાચું/સાચાં છે?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં સમાચારમાં રહેલ દવા 'આર્ટેમેથર-લ્યુમેફેન્ટ્રિન' (Artemether-lumefantrine) વિશે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?

Answer Is: (B) તે 2થી 5 કિલો વજન ધરાવતા નવજાત શિશુઓ અને નાના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી મેલેરિયાની પ્રથમ સારવાર છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) એલિફન્ટા ટાપુના ઉત્ખનન અને ઇતિહાસ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.

1. તાજેતરમાં એલિફન્ટા ટાપુના 'રાજબંદર' વિસ્તારમાંથી 1500 વર્ષ જૂની વાવ (જળાશય) મળી આવી છે.
2. ઉત્ખનનમાંથી મળેલા મોટાભાગના સિક્કા કલચુરી વંશના શાસક કૃષ્ણરાજના છે, જેમાં સિક્કાઓની આગળની બાજુએ જમીન પર બેઠેલા નંદીની આકૃતિ જોવા મળે છે.
3. એલિફન્ટાની ગુફાઓને વર્ષ 1987માં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) DRDO દ્વારા લોન્ચ કરવામાં આવેલા 'વિક્રમ VT-21' પ્રોજેક્ટ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

Answer Is: (B) આ પ્લેટફોર્મને VRDE દ્વારા 2 ખાનગી કંપનીઓ, ભારત ફોર્જ લિમિટેડ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ સાથે મળીને વિકસાવવામાં આવ્યા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) SIPRI દ્વારા પ્રકાશિત ‘ટ્રેન્ડ્સ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર 2025’ રિપોર્ટ અનુસાર નીચેનાં વિધાનો ચકાસો.

1. વર્ષ 2025માં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારા દેશોની યાદીમાં USA પ્રથમ ક્રમે છે.
2. ભારત 92.1 અબજ US ડોલરના કુલ ખર્ચ સાથે આ યાદીમાં પાંચમા ક્રમે છે.
3. ગત વર્ષની સરખામણીએ ભારતના સૈન્ય ખર્ચમાં 8.9%નો વધારો નોંધાયો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.

1. વર્ષ 2026માં ચાન્સેલર ક્રિશ્ચિયન સ્ટોકરની મુલાકાત છેલ્લા 42 વર્ષમાં કોઈ ઓસ્ટ્રિયન ચાન્સેલરની પ્રથમ ભારત મુલાકાત હતી.
2. બંને દેશોએ રોકાણને સરળ બનાવવા માટે ‘દ્વિપક્ષીય ફાસ્ટ-ટ્રેક મિકેનિઝમ’ (FTM) લોન્ચ કર્યું છે.
3. વર્ષ 2026માં વિયેના ખાતે દ્વિપક્ષીય સ્પેસ ઇન્ડસ્ટ્રી સેમિનારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) પરમાણુ કચરાના નિકાલ માટે વિશ્વની પ્રથમ કાયમી અંડરગ્રાઉન્ડ રિપોઝિટરી ‘ઓન્કાલો’ કયા દેશમાં સ્થિત છે ?

Answer Is: (B) ફિનલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) ‘પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ રૂલ્સ, 2026’ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. આ નિયમો હેઠળ ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ (OGAI)ની સ્થાપના કરવામાં આવી છે.
2. OGAIના અધ્યક્ષ તરીકે ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય (MeitY)ના સચિવ હોદ્દાની રૂએ સેવા આપશે.
3. ઓનલાઇન ગેમ્સને આપવામાં આવતા ડિજિટલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની માન્યતા 10 વર્ષ સુધીની રહેશે.
ઉપરનાં વિધાનોમાંથી કયાં સાચાં છે ?

Answer Is: (B) માત્ર 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ભારતીય બંધારણની 10મી અનુસૂચિ (પક્ષપલટા વિરોધી કાયદો) મુજબ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

Answer Is: (C) નામાંકિત સભ્ય ગૃહમાં સ્થાન ગ્રહણ કર્યાના 3 મહિના પછી કોઈ પક્ષમાં જોડાય તો તે ગેરલાયક ઠરે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) ANNAM.AI (એલાયન્સ ફોર નેક્સ્ટ-જેન નરિશમેન્ટ થ્રુ એગ્રિકલ્ચર મોડર્નાઇઝેશન)ના સંદર્ભમાં નીચેનાં જોડકાં ધ્યાને લો.

1. Swan – પંજાબમાં સ્થાપિત 100 અદ્યતન વેધર સ્ટેશન્સનું નેટવર્ક.
2. ACE – AI સંચાલિત બહુભાષી ચેટ પ્લેટફોર્મ.
3. IIT રોપર – ANNAM.AI ઇકોસિસ્ટમ લોન્ચ કરનાર સંસ્થા.
ઉપરનાં પૈકી કયાં જોડકાં સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ક્લોડ મિથોસ’ (Claude Mythos) શું છે ?

Answer Is: (B) એન્થ્રોપિક કંપની દ્વારા વિકસાવવામાં આવેલું નેક્સ્ટ-જનરેશન AI મોડેલ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) કોણાર્ક સૂર્ય મંદિરના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.

1. આ મંદિરનું નિર્માણ પૂર્વ ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું.
2. તેને વર્ષ 1984માં યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયું હતું.
3. તાજેતરમાં ASI દ્વારા તેના ‘જગમોહન’ હોલમાંથી વર્ષો જૂની રેતી કાઢવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (24 એપ્રિલ, 2026)ની ઉજવણીના સંદર્ભમાં વર્ષ 2026ની થીમ શું છે ?

Answer Is: (B) સશક્ત પંચાયત, સર્વાંગીણ વિકાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા પ્રકાશિત 80મા ‘હાઉસહોલ્ડ કન્ઝમ્પશન હેલ્થ સર્વે’ અંગે નીચેનાં વિધાનો તપાસો.

1. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વીમાકવચ 12.9%થી વધીને 45.5% થયું છે.
2. શહેરી વિસ્તારોમાં વીમાકવચમાં ઘટાડો નોંધાયો છે.
3. વર્ષ 2025માં હોસ્પિટલાઇઝેશન દીઠ મીડિયન આઉટ-ઓફ-પોકેટ એક્સપેન્ડિચર (OOPE) ₹ 11,285 નોંધાયો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?

Answer Is: (C) માત્ર 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) ભારતના પ્રથમ લિથિયમ-આયન બેટરી અને રેર અર્થ રીસાઇકલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) બુલંદશહર, ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) ભારતીય સેના દ્વારા સ્થાપિત 16મી ‘ભૈરવ’ બટાલિયન વિશે કયું વિધાન સાચું છે ?

Answer Is: (C) તે પરંપરાગત પાયદળ (Infantry) અને એલિટ સ્પેશિયલ ફોર્સિસ (Para SF) વચ્ચે સેતુ તરીકે કાર્ય કરશે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) તાજેતરમાં હસ્તાક્ષર થયેલા ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (IN-NZ FTA)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.

1. આ કરાર હેઠળ ભારતને ન્યૂઝીલેન્ડ માટેની તમામ 8284 ટેરિફ લાઇન પર 100% ડ્યુટી-ફ્રી એક્સેસ પ્રાપ્ત થઈ છે.
2. સ્થાનિક હિતોના રક્ષણ માટે ડેરી ઉત્પાદનો (જેવા કે દૂધ, ચીઝ વગેરે)ને આ કરારથી મુક્ત (બાકાત) રાખવામાં આવ્યા છે.
3. ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને સ્ટાર્ટઅપ્સમાં 20 અબજ USDના રોકાણની ખાતરી આપી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવેલ 'ગંગા એક્સપ્રેસવે' કયા બે શહેરોને સીધેસીધી કનેક્ટિવિટી પૂરી પાડે છે ?

Answer Is: (B) મેરઠ અને પ્રયાગરાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા 131માં બંધારણીય સુધારા વિધેયક, 2026ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.

1. આ વિધેયકમાં લોકસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા વધારીને 850 કરવાની દરખાસ્ત હતી.
2. તેમાં 2011ની વસતિગણતરી આધારિત સીમાંકન પૂર્ણ થયા પછી તરત જ મહિલાઓ માટે 33% અનામત લાગુ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી.
3. આ વિધેયક સંસદમાં જરૂરી બહુમતી પ્રાપ્ત કરીને પસાર થઈ ગયું હતું.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

Answer Is: (B) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) નીતિ (NITI) આયોગ અને તેના પદાધિકારીઓ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.

1. તાજેતરમાં ડો. અશોક લાહિરીએ નીતિ આયોગના વાઇસ-ચેરમેન તરીકે સુમન બેરીનું સ્થાન લીધું છે.
2. નીતિ આયોગના અધ્યક્ષ તરીકે ભારતના વડા પ્રધાન ફરજ બજાવે છે.
3. નીતિ આયોગની રચના કારોબારી ઠરાવ દ્વારા કરવામાં આવી છે અને તે બંધારણીય સંસ્થા નથી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) OPEC (ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) સંગઠન સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 1 મે, 2026થી OPEC અને OPEC+માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે.
2. OPECની સ્થાપના સપ્ટેમ્બર, 1960માં ઇરાકના બગદાદ કોન્ફરન્સ ખાતે થઈ હતી.
3. UAE એ OPECના 5 સ્થાપક દેશોમાં એક દેશ છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

Answer Is: (B) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up