4) એન્વિસ્ટેટ્સ ઇન્ડિયા 2025 રિપોર્ટ વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. 2023-24માં ઉષ્મા ઊર્જા ઉત્પાદન 7,92,053 GWh અને રિન્યૂએબલ એનર્જી (RE) સ્ત્રોતોમાંથી વીજળીનું ઉત્પાદન 2,25,835 GWh નોંધાયુ છે.
2. 2023-24માં આંતરિક જળમાં 61.36 લાખ ટન માછલીનું ઉત્પાદન થયું હતું.
3. 2001માં વાર્ષિક સરેરાશ તાપમાન 25.05 સેલ્સિયસ હતું તે વધીને 2024માં 25.74°C થયુ છે.
4 વૈશ્વિક સ્તરે દરિયાઈ પ્રાણીસૃષ્ટિની 2,47,605 પ્રજાતિઓ છે. જ્યારે ભારતમાં 20,613 પ્રજાતિઓ જોવા મળે છે.
6) “અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ” માટે નીચેનાં વિધાનો ચકાસો..
1 જમીનના ધોવાણ અને રણમાં રૂપાંતરસની સમસ્યાને રોકવા માટે સમગ્ર દેશમાં ગ્રીન કોરિડોર બનાવવા MoEF & CCના વિઝનના ભાગ રૂપે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
2. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય અરવલ્લી પર્વતમાળાના 700 કિમીના વિસ્તારમાં સળંગ ગ્રીન બેલ્ટ (5 કિમી બફર કોરિયા) બનાવવાનો છે.
3. 4 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો (ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી)માં આ પ્રોજેક્ટ ફેલાયેલી છે.
4 શરૂઆતમાં, આ પ્રોજેક્ટ હેઠળ 200 જળાશથી પુનર્જીવિત કરવામાં આવશે.
13) ફાઉન્ડેશનલ લિટ્રસી ઍન્ડ ન્યુમરેસી એસેસમેન્ટ ટેસ્ટ (FLNAT) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ અભ્યાસ માધ્યમિક શાળામાં શિક્ષણ મેળવતા વિધાર્થીઓના મૂલ્યાંકન માટે હાથ ધરવામાં છે
2. આ અભ્યાસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટ્રસી (DoSEL), કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
3. આ અભ્યાસ મુજબ ગુજરાત રાજ્ય પ્રમાણીકરણનો સર્વોચ્ચ દર ધરાવતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે.
15) જીનિવા (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે યોજાયેલ ગ્લોબલ પ્લેટફૉર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (GPDRR)ના 8મા સેશન વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ સંમેલનનું આયોજન યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (UNDRR) દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સંમેલનની થીમ ‘એવરી ડે કાઉન્ટ્સ, એક્ટ ફોર રેઝિલિયન્સ ટુડે' હતી.
16) પ્રધાન મંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) યોજના વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજના વિવિધ દાળ, તેલીબિયાં અને કોપરા માટે કિંમતની ખાતરી પૂરી પાડવી, ખેડૂતોની આર્થિક સ્થિરતાની ખાતરી કરવી, લણણી પછી મજબૂરીમાં પાકને વેચવાનું ઘટાડવું અને પાકના વૈવિધ્યીકરણને પ્રોત્સાહન આપવા લોન્ચ કરવામાં આવ્યું હતું.
2. આ યોજનામાં પ્રાદઝ સપોર્ટ સ્કીમ (PSS), પ્રાEDઝ ડેફિશિયન્સી પેમેન્ટ સ્કીમ (PDPS), માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ (MIS) અને પ્રાઇઝ સ્ટેબિલાઈઝેશન ફંડ (PSF)ને આવરી લેવામાં આવ્યાં છે.
૩. આ યોજનાનું સંચાલન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
21) રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ લદાખ આરક્ષણ સંશોધન નિયમ 2025 વિશે નીચેના વિધાનો ચકાસો.
1. આ નિયમમાં લદાખના જાહેર/સરકારી નોકરીઓમાં સ્થાનીય લોકો માટે 85% આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.
2. સ્થાનીય લોકો માટેના 85% આરક્ષણમાં આર્થિક રીતે નબળા (EWS) લોકો માટેના 10% આરક્ષણનો સમાવેશ થતો નથી.
23) IEAના 10ના વર્લ્ડ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2025 વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ રિપોર્ટ પેરિસ (ફ્રાન્સ)સ્થિત ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા જાહેર કરવામાં આવે છે.
2 વર્ષ 2025માં ઊર્જાક્ષેત્રે અનુમાનિત વૈશ્વિક રોકાણ ૩.૩ ટ્રિલિયન અમેરિકી ડોલર રહેશે.
3. 2025માં ઊર્જાક્ષેત્રમાં વૈશ્વિક રોકાણમાં ચીનનો હિસ્સો 25%થી વધુ રહેવાનું અનુમાન છે.
28) તાજેતરમાં સમાચારમાં રહેલ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1 MDR એ રિયલ ટાઇમમાં ચુકવણી પર પ્રક્રિયા હાથ ધરવા માટે બેન્ક દ્વારા વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતી ફી છે.
2. અગાઉ વેપારીઓએ કાર્ડ દ્વારા થતી ચુકવણીઓ પર લેવડદેવડના કુલ મૂલ્યની 1થી 3% સુધીની MOR ફી ચૂકવવી પડતી હતી.
વર્ષ 2024માં સરકારે દેશમાં ડિજિટલ ચુકવણીઓને પ્રોત્સાહન આપવા માટે MDR ચાર્જિસને માફ કરી દીધાં હતાં.
34) એસેટ મનિટાઇઝેશન વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1 એસેટ મનિટાઇઝેશન (સંપત્તિ મુદ્રીકરણ) એ જાહેર સંપત્તિમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ કરીને અને તેમને ભાગીદાર બનાવીને જાહેર ક્ષેત્રની સંપત્તિના આર્થિક મૂલ્યને અનલોક કરવાની પ્રક્રિયા છે.
2. નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે મૂડી એકત્ર કરવા, સંપત્તિ વ્યવસ્થાપન કાર્યક્ષમતામાં સુધારો કરવા, જાહેર નાણાં પરનો બોજ ઘટાડવા માટે એસેટ મનિટાઈઝેશન કરવામાં આવે છે.
3. સૌપ્રથમ વખત 2015માં વિજય કેલકર સમિતિએ એસેટ મનિટાઇઝેશનનો વિચાર રજૂ કર્યો હતો.
36) RBI દ્વારા ગોલ્ડ લોન ઉપર લોન-ટૂ-વેલ્યૂ (LTV) રેશિયોમાં કરવામાં આવેલા ફેરફાર વિશે નીચેના વિધાનો ચકાસો.
1 RBIએ 2.5 લાખ સુધીની ગોલ્ડ લોન ઉપર લોન-ટૂ-વેલ્યૂ (LTV) રેશિયો વધારવા માટે નવા દિશાનિર્દેશો બહાર પાડયાં છે, જેમાં અગાઉની મહત્તમ મર્યાદા 75%થી વધારીને 85% કરવામાં આવી છે.
2. આ ફેરફાર 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે.
૩. આ ફેરફારનો હેતુ નાના પાયાના માણધારકોને મદદ કરવાનો તથા ધિરાણકર્તાઓ માટે જોખમ નિયમનો વધારે સખત બનાવવાનો છે.
38) પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MOHFW) દ્વારા વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી.
2. આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રસૂતિ પૂર્વેની કાળજી (ANC) પૂરી પાડવી તથા માતા અને નવજાત શિશુના મૃત્યુદરને ઘટાડવાનો છે.
3. અત્યાર સુધીમાં PMSMA હેઠળ 6.19 કરોડ ગર્ભવતી સ્ત્રીઓની તપાસ કરવામાં આવી છે.
4. હાઈ-રિસ્ક પ્રેગ્નેન્ટ (HRP) મહિલાઓની સલામત રીતે પ્રસૂતિ ના થઈ જાય ત્યાં સુધી તેમની ભાળ મેળવવાની અને તેમને ટ્રેક કરવાની ખાતરી કરવા માટે વર્ષ 2022માં ‘એક્સટેન્ડેડ (E-PMSMA)'ને લોન્ચ કરવામાં આવ્યું હતું.
41) 55મી મોનિટરી પોલિસી કમિટીની બેઠક (જૂન, 2025) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. રેપો રેટમાં 50 બેઝિસ પોઇન્ટ (bps) ઘટાડીને તેને 5.50% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
2. કેશ રિઝર્વ રેશિયો (CRR) ચોખ્ખી માંગ અને સમય જવાબદારીઓ (net demand and time liabilities – NDTLI) નાં 100 bps ઘટાડીને 3.0% કરવાનો નિર્ણય લીધો હતો.
3. નાણાકીય વર્ષ 2025-26 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવાનું અનુમાન 3.7% કરવામાં આવ્યું છે.
45) સાહિત્ય અકાદમી યુવા અને બાળ સાહિત્ય પુરસ્કાર 2025 વિશે નીચેના વિધાનો ચકાસો.
1. ગુજરાતી ભાષામાં સાહિત્ય અકાદમી યુવા સાહિત્ય પુરસ્કાર મયૂર ખાવડુને તેમના નરસિંહ ટેકરી (નિબંધ) માટે એનાયત કરવામાં આવશે.
2. ગુજરાતી ભાષામાં સાહિત્ય અકાદમી બાલ સાહિત્ય પુરસ્કાર કીર્તિદા બ્રાહ્મભટ્ટને રિચાક (કવિતા) માટે એનાયત કરવામાં આવશે.
48) UNFPAના સ્ટેટ ઑફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2025 વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. રિપોર્ટમાં વર્ષ 2025માં ભારતની જનસંખ્યા 146 કરોડ હોવાનો અંદાજ કરવામાં આવ્યો છે.
2. રિપોર્ટ મુજબ ભારતને કુલ પ્રજનનદર (TFR) 2.1થી ઘટીને 1.9 થયો હોવાનો અંદાજ છે.
Comments (0)