CCE Current Affairs 2026 Test 07

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 25

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વર્ષ 2026ના મહત્ત્વના દિવસો અને તેની થીમ બાબતે કઈ જોડ સાચી નથી ?

2) બ્રહ્મોસ મિસાઈલ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. બ્રહ્મોસ મિસાઈલ એ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. તેને જળ, જમીન અને હવામાંથી એટલે કે સબમરીન, જહાજ અને એરક્રાફ્ટથી લોન્ચ કરી શકાય છે.
2. બ્રહ્મોસ મિસાઈલ એ NPO Mashinostroyenia અને ભારતના DRDOનું વચ્ચેનું સંયુક્ત સાહસ છે.
3. ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કવા નદીના નામ પરથી આ મિસાઈલનું નામ બ્રહ્મોસ રાખવામાં આવ્યું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

3) કોણાર્ક સૂર્ય મંદિરના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.

1. આ મંદિરનું નિર્માણ પૂર્વ ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું.
2. તેને વર્ષ 1984માં યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયું હતું.
3. તાજેતરમાં ASI દ્વારા તેના ‘જગમોહન’ હોલમાંથી વર્ષો જૂની રેતી કાઢવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?

4) નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક કઈ થીમ હેઠળ યોજાઈ હતી ?

5) 'ભારત મેરિટાઇમ ઇન્શ્યોરન્સ પૂલ' (BMI પૂલ) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. તેની સ્થાપના માટે ₹ 12,980 કરોડની સોવરેન ગેરન્ટીને મંજૂરી આપવામાં આવી છે.
2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી વીમાકંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
3. આ વીમાકવચ માત્ર સરકારી જહાજોને જ પૂરું પાડવામાં આવશે.
ઉપરનાં પૈકી કયાં વિધાન/વિધાનો ખોટાં છે ?

6) SIPRI દ્વારા પ્રકાશિત ‘ટ્રેન્ડ્સ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર 2025’ રિપોર્ટ અનુસાર નીચેનાં વિધાનો ચકાસો.

1. વર્ષ 2025માં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારા દેશોની યાદીમાં USA પ્રથમ ક્રમે છે.
2. ભારત 92.1 અબજ US ડોલરના કુલ ખર્ચ સાથે આ યાદીમાં પાંચમા ક્રમે છે.
3. ગત વર્ષની સરખામણીએ ભારતના સૈન્ય ખર્ચમાં 8.9%નો વધારો નોંધાયો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

7) તાજેતરમાં હસ્તાક્ષર થયેલા ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (IN-NZ FTA)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.

1. આ કરાર હેઠળ ભારતને ન્યૂઝીલેન્ડ માટેની તમામ 8284 ટેરિફ લાઇન પર 100% ડ્યુટી-ફ્રી એક્સેસ પ્રાપ્ત થઈ છે.
2. સ્થાનિક હિતોના રક્ષણ માટે ડેરી ઉત્પાદનો (જેવા કે દૂધ, ચીઝ વગેરે)ને આ કરારથી મુક્ત (બાકાત) રાખવામાં આવ્યા છે.
3. ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને સ્ટાર્ટઅપ્સમાં 20 અબજ USDના રોકાણની ખાતરી આપી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

8) NITI (National Institution for Transforming India) આયોગ વિશે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય નથી ?

1. 1 જાન્યુઆરી 2016ના આયોજન પંચના સ્થાને તેની શરૂઆત કરવામાં આવી હતી.
2. તે ગેરબંધારણીય કારોબારી સંસ્થા છે.
3. તેના ઉપાધ્યક્ષ હોદ્દાની રૂએ ભારતના વડાપ્રધાન હોય છે.
4. નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને CEOની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
ઉપરોક્ત વિધાન પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

9) નીતિ (NITI) આયોગ અને તેના પદાધિકારીઓ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.

1. તાજેતરમાં ડો. અશોક લાહિરીએ નીતિ આયોગના વાઇસ-ચેરમેન તરીકે સુમન બેરીનું સ્થાન લીધું છે.
2. નીતિ આયોગના અધ્યક્ષ તરીકે ભારતના વડા પ્રધાન ફરજ બજાવે છે.
3. નીતિ આયોગની રચના કારોબારી ઠરાવ દ્વારા કરવામાં આવી છે અને તે બંધારણીય સંસ્થા નથી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

10) OPEC (ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) સંગઠન સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 1 મે, 2026થી OPEC અને OPEC+માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે.
2. OPECની સ્થાપના સપ્ટેમ્બર, 1960માં ઇરાકના બગદાદ કોન્ફરન્સ ખાતે થઈ હતી.
3. UAE એ OPECના 5 સ્થાપક દેશોમાં એક દેશ છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

11) ભારતીય સેના દ્વારા સ્થાપિત 16મી ‘ભૈરવ’ બટાલિયન વિશે કયું વિધાન સાચું છે ?

12) એલિફન્ટા ટાપુના ઉત્ખનન અને ઇતિહાસ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.

1. તાજેતરમાં એલિફન્ટા ટાપુના 'રાજબંદર' વિસ્તારમાંથી 1500 વર્ષ જૂની વાવ (જળાશય) મળી આવી છે.
2. ઉત્ખનનમાંથી મળેલા મોટાભાગના સિક્કા કલચુરી વંશના શાસક કૃષ્ણરાજના છે, જેમાં સિક્કાઓની આગળની બાજુએ જમીન પર બેઠેલા નંદીની આકૃતિ જોવા મળે છે.
3. એલિફન્ટાની ગુફાઓને વર્ષ 1987માં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?

13) તાજેતરમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા પ્રકાશિત 80મા ‘હાઉસહોલ્ડ કન્ઝમ્પશન હેલ્થ સર્વે’ અંગે નીચેનાં વિધાનો તપાસો.

1. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વીમાકવચ 12.9%થી વધીને 45.5% થયું છે.
2. શહેરી વિસ્તારોમાં વીમાકવચમાં ઘટાડો નોંધાયો છે.
3. વર્ષ 2025માં હોસ્પિટલાઇઝેશન દીઠ મીડિયન આઉટ-ઓફ-પોકેટ એક્સપેન્ડિચર (OOPE) ₹ 11,285 નોંધાયો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?

14) નેવલ એન્ટી–શીપ મિસાઈલ–મધ્યમ રેન્જ (NASM-MR) વિશે નીચેના વિધાનો પર વિચાર કરો :

1. તે ભારતીય નૌકાદળ માટે DRDO દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી સબસોનિક, સી–સ્કીમિંગ ક્રૂઝ મિસાઈલ છે.
2. તે 350 કિમી સુધીની મહત્તમ પ્રહાર ક્ષમતા ધરાવે છે અને સ્વદેશી નાના ગેસ ટર્બાઇન જેટ એન્જિન (SGTJE) દ્વારા સંચાલિત છે.
3. તે જામિંગ (ઈલેક્ટ્રોનિક કાઉન્ટરમેઝર્સ)થી બચવા માટે સક્રિય રડાર સીકર અને ઈમેજિંગ ઈન્ફ્રારેડ (IR) સીકરના ડ્યુઅલ–મોડ ટર્મિનલ માર્ગદર્શનનો ઉપયોગ કરે છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કયા/કયાં સાચાં છે ?

15) તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા 131માં બંધારણીય સુધારા વિધેયક, 2026ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.

1. આ વિધેયકમાં લોકસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા વધારીને 850 કરવાની દરખાસ્ત હતી.
2. તેમાં 2011ની વસતિગણતરી આધારિત સીમાંકન પૂર્ણ થયા પછી તરત જ મહિલાઓ માટે 33% અનામત લાગુ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી.
3. આ વિધેયક સંસદમાં જરૂરી બહુમતી પ્રાપ્ત કરીને પસાર થઈ ગયું હતું.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

16) 'મેમ્રિસ્ટર' (Memristor) ટેક્નોલોજી બાબતે નીચેનાં વિધાનો ચકાસો.

1. તે 'મેમરી' અને 'રેઝિસ્ટર' શબ્દોના સંયોજનથી બનેલું ઉપકરણ છે.
2. તે પાવર સપ્લાય બંધ થયા પછી પણ સંગ્રહિત માહિતી ગુમાવતું નથી.
3. તે માહિતીનો સંગ્રહ અને પ્રોસેસિંગ બંને એકસાથે કરી શકે છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?

17) 'મિશન MITRA' (Mission MITRA) બાબતે કયું વિધાન અયોગ્ય છે ?

18) લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલ (LRLACM)ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો :

1. તે એક સ્વદેશી સુપરસોનિક, સપાટીથી છોડવામાં આવતી ક્રૂઝ મિસાઈલો છે.
2. બેંગલુરુ સ્થિત એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) તેની નોડલ લેબોરેટરી છે.
3. તેની સ્ટ્રાઈક રેન્જ આશરે 1,000 કિમી છે અને તે ટર્બોફેન/ટર્બોજેટ પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કયાં વિધાન સાચાં છે ?

19) રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ–6 (NFHS-6) (2023-24) અંગે નીચેના વિધાનો ધ્યાને લો :

1. આ સર્વે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.
2. આ સર્વે માટે મુંબઈની ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સિસ’એ મુખ્ય નોડલ એજન્સી તરીકે કામ કર્યું છે.
3. આ સર્વેમાં ભારતના તમામ જિલ્લાઓમાંથી આશરે 15 લાખ ઘરોને આવરી લેવામાં આવ્યા હતા.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન(ઓ) સાચું/સાચા છે ?

20) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ (NCBC) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. તાજેતરમાં સાધ્વી નિરંજન જ્યોતિની NCBCના ચેરપર્સન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
2. 102મા બંધારણીય સુધારા અધિનિયમ, 2018 દ્વારા NCBCને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે.
3. બંધારણના અનુચ્છેદ 338B હેઠળ આ આયોગની રચના કરવામાં આવી છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up