CCE Current Affairs 2026 Test 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 6

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિશ્વ પર્યાવરણ દિન 2026 નિમિત્તે કયા રાજ્યની સરકારે 8 કલાકની અંદર 1 કરોડથી વધુ (1,02,35,632) રોપાઓનું વાવેતર કરીને વિક્રમ સર્જ્યો છે ?

2) તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળે દેશના પ્રથમ ______ કમિશનરેટની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે.

3) અસમમાં ‘મુગા સિલ્ક’ માટે શરૂ કરવામાં આવેલા ‘મિશન સેનેહજોરી’ વિશે નીચેનાં વિધાનો તપાસો.

1. આ મિશનનો ઉદ્દેશ્ય મુગા સિલ્કને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક લક્ઝરી ટેક્સટાઇલ બ્રાન્ડ બનાવવાનો છે.
2. આ મિશન માટે ₹ 411 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
3. આ યોજના હેઠળ મુગા સિલ્કનું GI પ્રમાણીકરણ 80 ટકાથી વધુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?

4) ‘વિશ્વ શરણાર્થી દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

5) ‘ઓટિસ્ટિક ગૌરવ દિવસ’ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?

6) બ્લૂ બોન્ડ્સ અને તેને લગતી સંસ્થાઓ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.

1. સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (SMFCL) વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ભારતના સૌપ્રથમ બ્લૂ બોન્ડ્સ લોન્ચ કરશે.
2. આ બ્લૂ બોન્ડ્સનો મુખ્ય ઉદ્દેશ મહાસાગર અને સમુદ્રતટીય આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ માટે ₹ 1,000 કરોડ સુધીની રકમ એકઠી કરવાનો છે.
3. SMFCL એ ખાનગી ક્ષેત્રની સમુદ્રી માળખાકીય સંબંધિત કંપની છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :

7) સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) અને ZCZP ઇન્સ્ટ્રુમેન્ટ્સના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.

1. ZCZP ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરનાર કંપનીને રોકાણ કરેલી મૂળ રકમ (મુદ્દલ) પ્રોજેક્ટના અંતે પરત મળવાપાત્ર છે.
2. SSE પર નોંધાયેલી સંસ્થાઓએ તેમની કુલ પ્રવૃત્તિઓમાંથી ઓછામાં ઓછી 67% પ્રવૃત્તિઓ સામાજિક ઉદ્દેશ્યો પાછળ ખર્ચવી ફરજિયાત છે.
3. કંપનીઓ પોતાના કુલ વાર્ષિક CSR ખર્ચના વધુમાં વધુ 10% સુધીનો ખર્ચ ZCZP ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા કરી શકે છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?

8) ગીરના જંગલમાં કયા બે જીવલેણ રોગોના શંકાસ્પદ ફેલાવાને કારણે 5 બચ્ચાં સહિત 8 એશિયાઈ સિંહોનાં મોત થયાં છે ?

9) વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત ‘નવસારી ડિજિટલ સબસ્ટેશન’ પ્રોજેક્ટ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. આ વિશ્વનું સૌથી ઉચ્ચ-વોલ્ટેજ (765kV ક્ષમતાનું) અને પ્રથમ ડિજિટલ સબસ્ટેશન છે.
2. આ પ્રોજેક્ટનું નિર્માણ ભારત સરકારના પાવર મંત્રાલયના સીધા હસ્તક કરવામાં આવ્યું છે.
3. આ સબસ્ટેશનમાં પરંપરાગત વાયરોને બદલે ફાઇબર ઓપ્ટિક્સ અને પ્રોસેસ બસ-બેઝ્ડ (IEC 61850) ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

10) ભારતની પ્રથમ સ્વદેશી 'એજ AI' સિસ્ટમ-ઓન-ચિપ (SoC)નું નામ શું છે, જે કેરળસ્થિત સ્ટાર્ટઅપ 'નેત્રાસેમી' દ્વારા વિકસાવવામાં આવી છે ?

11) વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દ્વારા કયા રોગને મુખ્ય બિન-ચેપી રોગ (NCD) તરીકે માન્યતા આપવામાં આવી છે, જેને અગાઉ 'ફેટી લિવર ડિસીઝ' તરીકે ઓળખવામાં આવતો હતો ?

12) ‘વિશ્વ અન્ન સુરક્ષા દિવસ’ અથવા તો ‘વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

13) ભારતીય અર્થતંત્રમાં MSMEની નિર્ણાયક ભૂમિકામાં નીચેનામાંથી કયું પરિબળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

1. રોજગાર સર્જન
2. આર્થિક વૃદ્ધિ
3. નિકાસ પ્રોત્સાહન
4. ઔદ્યોગિક ઉત્પાદન
5. પ્રાદેશિક વિકાસ

14) એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. કેન્દ્રીય મંત્રીમંડળે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) માટે ₹ 10,000 કરોડની બજેટ સહાય મંજૂર કરી છે.
2. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એરલાઇન્સને ATFના ભાવની વધઘટ સામે સુરક્ષા પૂરી પાડવાનો છે.
3. આ યોજનાનો લાભ માત્ર ભારતની આંતરરાષ્ટ્રીય ઉડાન ભરતી એરલાઇન્સને જ મળશે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

15) ગુજરાતના જસદણની પરંપરાગત હસ્તકલા ‘પટારી’ને મળેલા GI ટેગ બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ રજિસ્ટ્રીએ આ હસ્તકલાને વર્ષ 2025-26 માટે GI ટેગ મંજૂર કર્યો છે.
2. આ હસ્તકલા મુખ્યત્વે ભાવનગર જિલ્લાના જસદણ બ્લોકમાં પેઢીઓથી પ્રચલિત છે.
3. આ પટારીઓ બનાવવામાં કિંમતી ધાતુઓ, આકર્ષક રંગો અને લાકડાની જટિલ કોતરણીનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

16) 79મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (WHA)માં અપનાવવામાં આવેલા ‘એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) વિશેના ગ્લોબલ એક્શન પ્લાન (2026-2036)’ અંગે નીચેનાં વિધાનો ચકાસો.

1. આ એક્શન પ્લાન વર્ષ 2036 સુધી AMR સામે સંકલિત કાર્યવાહી કરવા માટે વૈશ્વિક માળખા તરીકે કાર્ય કરશે.
2. આ પ્લાનનો એક મુખ્ય લક્ષ્યાંક બેક્ટેરિયલ AMRથી થતાં માનવમૃત્યુમાં 10%નો ઘટાડો કરવાનો છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન યોગ્ય છે ?

17) SARTHAK-PDS યોજના વિશે નીચેનાં વિધાનો ચકાસો.

1. આ યોજનાનો સમયગાળો 16મા નાણાપંચના કાર્યકાળ દરમિયાન 5 વર્ષ એટલે કે 31 માર્ચ, 2031 સુધીનો રહેશે.
2. આ યોજનામાં અગાઉ ચાલતી 2 યોજનાઓનું એકીકરણ કરવામાં આવશે, જેમાં એક SMART-PDS યોજના પણ સામેલ છે.
3. જાહેર વિતરણ પ્રણાલીને લીકેજ-મુક્ત અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આ યોજનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ (ML) અને બ્લોકચેઇન જેવી આધુનિક ટેક્નોલોજીઓનો ઉપયોગ કરવામાં આવશે.
સાચો વિકલ્પ પસંદ કરો :

18) ‘ગુજરાત વાયર ફ્રી સીટી મિશન’ બાબતે કયું વિધાન સાચું છે ?

19) NFHS-6ની માહિતી એકત્રીકરણ પદ્ધતિ અંગે નીચેનાં વિધાનો ચકાસો.

1. ભારતમાં તબીબી સંસ્થામાં થયેલી પ્રસૂતિઓ (Institutional Delivery)નું પ્રમાણ 90.6% છે, જ્યારે ગુજરાતમાં આ પ્રમાણ 97.1% નોંધાયું છે.
2. 5 વર્ષથી નાની વયનાં બાળકોમાં સ્ટન્ટિંગ (વયની સરખામણીએ ઓછી ઊંચાઈ)નું પ્રમાણ ગુજરાત (35.3%)ની સરખામણીએ સમગ્ર ભારતમાં (29.3%) ઓછું છે.
સાચો વિકલ્પ પસંદ કરો :

20) ‘વાઇબ્રન્ટ વિલેજિસ પ્રોગ્રામ-II’ હેઠળ ભારતના પ્રથમ ‘આદર્શ સરહદી ગામ’ તરીકે કયા ગામને વિકસાવવામાં આવ્યું છે ?

21) રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA) દ્વારા મધ્ય પ્રદેશના કૂનોમાંથી 4 આફ્રિકન ચિત્તાઓને ગુજરાતમાં ક્યાં શિફ્ટ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે ?

22) IBCના અમલીકરણથી બેંકિંગ ક્ષેત્રના ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ (GNPA) રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2017માં 11.8% રહેલો આ રેશિયો સપ્ટેમ્બર, 2025 સુધીમાં ઘટીને કેટલો થઈ ગયો છે ?

23) નીચેનામાંથી ‘આંતરરાષ્ટ્રીય નાવીક દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

24) ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 હેઠળ આગામી 5 વર્ષમાં કેટલા રૂપિયાનું રોકાણ આકર્ષવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ?

25) 'મિશન ફોર એડવાન્સમેન્ટ ઈન હાઈ-ઈમ્પેક્ટ એરિયાઝ' (MAHA) વિશે નીચેનાં વિધાન ચકાસો.

1. જળક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ દ્વારા કરવામાં આવેલા સંશોધનને પ્રયોગશાળા પૂરતું મર્યાદિત ન રાખીને, તેનો વાસ્તવિક જમીની સ્તરે અમલ કરવો.
2. શરૂઆતમાં આ પ્રોજેક્ટ 3 વર્ષ માટે રહેશે, પરંતુ કામગીરીનાં ઉત્કૃષ્ટ પરિણામોના આધારે તેને વધુ 2 વર્ષ માટે લંબાવી શકાશે.
3. આ મિશન અંતર્ગત શિક્ષણ જગત, ઉદ્યોગ જગત અને સરકાર વચ્ચે સહયોગ વધારીને સ્થાનિક જરૂરિયાતો અનુસાર જળ-ઉકેલો વિકસાવશે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up