PSI Exam 2026 Mock Test Paper 1B (4)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 'ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટોરિયલ ઓથોરિટી' (FNTA)ની રચના માટે કોની વચ્ચે ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યો છે ?

2) 'સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત પતાવટ અને ખેતીવિષયક જમીન સુધારો વિધેયક - 2026' મુજબ, ગેરકાયદેસર સ્થાણાંતરિત જમીન પર જંત્રી કિંમતના કેટલા ગણા દંડની જોગવાઈ કરવામાં આવી છે ?

3) યુનાઈટેડ નેશન્સ દ્વારા પ્રથમ ‘વિશ્વ દાળ દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવી હતી ?

4) NSO દ્વારા પ્રસ્તાવિત 'સ્થળાંતર સર્વે' અંગે કયાં વિધાનો સાચાં છે ?

1. આ સર્વે જુલાઈ, 2026થી જૂન, 2027 દરમિયાન હાથ ધરવાનો પ્રસ્તાવ છે.
2. વર્ષ 2007-08 પછી આ પ્રકારનો આ પ્રથમ સ્વતંત્ર અને સંપૂર્ણ વર્ષનો સર્વે હશે.
3. PLFS 2020-21 મુજબ ભારતમાં સ્ત્રીઓમાં સ્થળાંતરદર 10.7% છે.

5) ભારતનો પ્રથમ સ્વદેશી ‘ગ્રીન યુરિયા પ્લાન્ટ' ક્યાં વિકસાવવામાં આવશે ?

6) 'એક્સર્સાઇઝ વજ્ર પ્રહાર 2026' ભારત અને કયા દેશ વચ્ચે યોજાઈ હતી ?

7) અલવર જિલ્લો ‘2047 સુધીમાં બધા માટે વીમો’ રોડમેપ હેઠળ 100% વીમા કવરેજ પ્રાપ્ત કરનારો દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે, તે કયા રાજ્યમાં સ્થિત છે ?

8) 'ગુજરાતના ગ્રાન્ડ ઓલ્ડ મેન' (Grand Old Man) તરીકે કોને ઓળખવામાં આવે છે ?

9) તાજેતરમાં કયું રાજ્ય ‘બર્ડ એટલાસ' પ્રકાશિત કરનાર ભારતનું બીજું રાજ્ય બન્યું છે ?

10) ભારતનું પ્રથમ 'સ્ટેટ ઇનોવેશન મિશન' (SIM) કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું ?

11) એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) યોજનાના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. આ યોજના વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી અને તે 'સેન્ટ્રલ સેક્ટર સ્કીમ' છે.
2. તાજેતરમાં તેનો લોન-લક્ષ્યાંક 1 લાખ કરોડથી વધારીને 2 લાખ કરોડ કરવામાં આવ્યો છે.
3. તેમાં 2 કરોડ સુધીની લોન પર વાર્ષિક 5% વ્યાજસહાય આપવામાં આવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

12) કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ્' કરવાની પ્રક્રિયા સંદર્ભે કયા વિધાનો યોગ્ય છે ?

1. બંધારણના અનુચ્છેદ ૩ હેઠળ સંસદને રાજ્યોના નામમાં ફેરફાર કરવાની સત્તા છે.
2. રાજ્યનું નામ બદલવા માટેનું બિલ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર સંસદમાં રજૂ કરી શકાય છે.
૩. ‘કેરલમ્' શબ્દનો ઉલ્લેખ સમ્રાટ અશોકના શિલાલેખ –II માં ‘કેતાલાપુતો’ તરીકે જોવા મળે છે.
4. રાજ્યનું નામ બદલવા માટે સંસદમાં સાદી બહુમતીની જરૂર હોય છે.

13) નેશનલ શિપબિલ્ડિંગ ઍન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક (NSHIP) બાબતે નીચેનાં વિધાનો તપાસો.

1. આ પાર્કની સ્થાપના તામિલનાડુના થૂથુકુડી ખાતે કરવામાં આવી છે.
2. તે VOC પોર્ટ અને SIPCOT વચ્ચેની 50:50ની ભાગીદારી ધરાવતો સંયુક્ત ઉદ્યમ છે.
3. આ પાર્ક અંદાજે 2,000 એકર વિસ્તારમાં ફેલાયેલો એક 'ગ્રીનફિલ્ડ ક્લસ્ટર' છે.

14) 'ઓપરેશન વિન્ડલોર્ડ' અને માઇક્રો-ન્યુક્લિયર રિએક્ટર બાબતે નીચેનાં વિધાનો ચકાસો.

1. આ અમેરિકા દ્વારા માઇક્રો-ન્યુક્લિયર રિએક્ટરનું પ્રથમ હવાઈ પરિવહન કરવાનું મિશન હતું.
2. આ મિશનમાં C-17 ગ્લોબમાસ્ટર III કાર્ગો એરક્રાફ્ટનો ઉપયોગ કરીને 'વોર્ડ 250' માઇક્રોરીએક્ટરનું વહન કરાયું હતું.
૩. માઇક્રો રિએક્ટર સામાન્ય રીતે 1,000 MW કે તેથી વધુ ઊર્જાનું ઉત્પાદન કરે છે.
સાચાં વિધાન/વિધાનો પસંદ કરો :

15) 'ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026' વિજેતા રૂબલ નાગી (Rouble Nagi) વિશે નીચેનાં વિધાનો ચકાસો.

1. તેઓ રણજિતસિંહ દિસાલે બાદ આ પુરસ્કાર જીતનારા બીજા ભારતીય છે.
2. તેમણે સામાજિક કાર્ય માટે 'રૂબલ નાગી આર્ટ ફાઉન્ડેશન' (RNAF)ની સ્થાપના કરી છે.
૩. ગ્લોબલ ટીચર પ્રાઇઝને 'શિક્ષણના નોબેલ પ્રાઇઝ' તરીકે ઓળખવામાં આવે છે.
ઉપરનાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?

16) ગુજરાત અંદાજપત્ર 2026-27ના કવરપેજ પર કઈ ચિત્રકળા અને દેવીનાં ચિત્રો અંકિત કરવામાં આવ્યાં છે ?

17) દેશનું પ્રથમ રાજ્ય કયું છે જેણે તાજેતરમાં 'વ્યાપક શહેરી નીતિ' (Urban Policy)ના મુસદ્દાને મંજૂરી આપી છે ?

18) મહત્ત્વપૂર્ણ દરિયાઈ માળખાના રક્ષણ માટે અદ્યતન એન્ટી–ડ્રોન સુરક્ષા પ્રણાલીનો અમલ શરૂ કરનાર ભારતનું કયું બંદર ઓથોરિટી પ્રથમ બન્યું છે?

19) ભારતની નવી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ 'PRAHAAR' અંગે નીચેનાં વિધાનો તપાસો.

1. આ નીતિ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા જાહેર કરવામાં આવી છે.
2. તેનો મુખ્ય સિદ્ધાંત 'ઝીરો ટોલરન્સ ટોવર્ડ્સ ટેરરિઝમ' છે.
3. આ નીતિમાં 'હોલ-ઓફ-ગવર્નમેન્ટ' અને 'હોલ-ઓફ-સોસાયટી' અભિગમ અપનાવવામાં આવ્યો છે.
4. આ નીતિ ઘડવા પાછળ એપ્રિલ, 2025ની પહેલગામ આતંકવાદી ઘટના મુખ્ય પ્રેરકબળ છે.

20) તાજેતરમાં …………….. દેશે SAFF અંડર-19 મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે?

21) નીચેનામાંથી શ્રી મોરારજી દેસાઈને કયા વર્ષે ‘ભારત રત્ન' એનાયત થયો હતો ?

22) નીચેનામાંથી “રણજી ટ્રોફી 2025-26' વિજેતા ટીમનું નામ શું છે?

23) વર્ષ 2026ની “વિશ્વ વન્ય જીવ દિવસ'ની થીમ શું છે ?

24) ઇજિપ્તમાં મળેલા શિલાલેખોમાં 'કોર્રન' નામનો ઉલ્લેખ છે, જે પ્રાચીન ભારતના કયા વંશ સાથે જોડાયેલ છે ?

25) વર્લ્ડ બૅન્ક દ્વારા ભારત માટે જાહેર કરાયેલ 'કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક (CPF) 2026-2031 હેઠળ વાર્ષિક કેટલા ધિરાણનું લક્ષ્ય રખાયું છે ?

26) રાષ્ટ્રપતિ તેમનો પોતાનો હોદ્દો ગ્રહણ કરે તે પહેલાં ભારતના મુખ્ય ન્યાયાધીશ તેમને પોતાના હોદ્દો અને સ્થાનના શપથ લેવડાવે છે. આ શપથ નીચેના પૈકી કયા વિધાનોનો સમાવેશ કરતા નથી?

27) ભારતના બંધારણના અનુચ્છેદ નં. 165 માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે?

28) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 હેઠળ ડીરેક્ટરની વખતોવખત અપાતી સામાન્ય સૂચનાઓ સિવાય સ્કુલ બોર્ડ સ્ટાફની બઢતી, બદલી તેમ જ કલમ 20 અન્વયેના નિભાવવામાં આવતા સ્ટાફ સામે તમામ પ્રકારના શિસ્ત સબંધી પગલા (નોકરીમાંથી દુર કરવા સહીત) લેવાની સત્તા કોને છે ?

29) એસ.સી. અને એસ.ટી. અધિનિયમ 1989ની કલમ 3 હેઠળ કોઈપણ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલ ગુના માટે લઘુત્તમ જેલની સજાની જોગવાઈ............

30) માહિતી અધિકાર અધિનિયમ, 2005 ની કલમ 17 ની જોગવાઈ હેઠળ રાજ્યના મુખ્ય માહિતી કમિશનરને હોદ્દા ઉપરથી દૂર કરવાની સત્તા કોની છે?

31) એસ.સી. અને એસ.ટી. (અત્યાચાર નિવારણ) કાયદા, 1989 અન્વયે કોણ સામૂહિક દંડ કરવા અને વસૂલવા અધિકાર ધરાવે છે ?

32) ભારતના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. રાજ્યના રાજ્યપાલની નિમણૂક વડાપ્રધાન કરે છે.
2. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક વડાપ્રધાન કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

33) ભારતના બંધારણમાં જાહેરહિતની અરજી (PIL)ની સંકલ્પના કયા દેશ પાસેથી લેવામાં આવી છે?

34) ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો છેઃ

35) ગૌણ વન પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી અંગેની જિલ્લા સ્તરીય સંકલન અને મોનીટરીંગ સમિતિમાં અધ્યક્ષ અને સભ્ય સચિવ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે?

36) નીચે આપેલા પૈકી કયું વિધાન / કયા વિધાનો ભારતના બંધારણની કલમ 28 અનુસાર સત્ય છે ?

I. સંપૂર્ણપણે રાજ્યના ભંડોળથી નિભાવાતી શૈક્ષણિક સંસ્થામાં કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં.
II. રાજ્ય એ માન્ય કરેલી અથવા રાજ્યના નાણામાંથી સહાય મેળવતી શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ લેતી કોઈ વ્યક્તિને તેવી સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા એવી સંસ્થામાં ચલાવાતી કોઈપણ ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં.

37) માહિતી અધિકાર અધિનિયમ, 2005ની કલમ 4 હેઠળ 17 મુદ્દાઓની માહિતી પ્રસિદ્ધ કર્યા પછી તેને કેટલા સમયે અદ્યતન કરવાની જોગવાઈ છે?

38) નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતીઃ

39) ભારતના બંધારણના મુસદ્દા ઉપર .......... વખત વાંચન હાથ ધરવામાં આવ્યું હતું.

40) આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થી દીઠ વાર્ષિક ત્રણ જોડી ગણવેશ માટે કેટલા રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે ?

41) ભારતના રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચેના પ્રવર્તમાન સંબંધોનું નીચેની કઈ જોગવાઈઓ દ્વારા નિયમન કરવામાં આવે છે?

42) ગ્રામ પંચાયતના સચિવની નિમણૂંક કોણ કરે છે?

43) સંસદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. લોકસભા એ કાયમી ગૃહ નથી એટલે તેનો સભ્ય પાંચ વર્ષ સુધી સામાન્યત: સભ્યપદ પર રહે છે.
2. રાજ્યસભા એ કાયમી ગૃહ છે એટલે તેનો સભ્ય કાયમ સભ્યપદ પર રહે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

44) મૂળભૂત ફરજોના અમલીકરણ માટે નીચેના પૈકી કઈ કાયદાકીય જોગવાઈઓ છે?

1. નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ
2. ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ
3. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ
4. વન્યજીવ (રક્ષણ) અધિનિયમ

45) સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા કોની પાસે છે?

46) રાજ્યસભાને લોકસભાની સમાન કઈ સત્તા છે?

47) બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદોમાં એસ.સી., એસ.ટી., પછાતવર્ગ અને એંગ્લો-ઈન્ડિયન માટે વિશેષ જોગવાઈઓનો ઉલ્લેખ છે?

48) રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એ.......... છે.

49) ભારતની સંસદની કાર્યપદ્ધતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. પ્રશ્નકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં છે.
2. શૂન્યકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં કરવામાં આવેલ નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

50) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. બંધારણની આઠમી અનુસૂચિમાં દેશની વિવિધ ભાષાઓનો સમાવેશ થાય છે.
2. મૂળ બંધારણમાં કુલ આઠ અનુસૂચિઓ હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

51) મોહસ સ્કેલ મુજબ નીચેનામાંથી કયો ક્રમ ખનીજની કઠિનતાનો સાચો ક્રમ છે?

52) નીચેના પૈકી કયા વૃક્ષને પર્યાવરણીય સંકટ માનવામાં આવે છે?

53) મીસૉન્સ (Mesons) સામાન્ય રીતે શામા જોવા મળે છે?

54) નીચેનામાંથી કયો રોગ ફૂગના કારણે થાય છે?

55) સેમીકંડકટરની પ્રતિકારકતા આના પર આધાર રાખે છેઃ

56) વાતાવરણનું નીચેના પૈકી કયું સ્તર એ ઓઝોનનું સ્તર ધરાવે છે, કે જે પાર જાંબલી (Ultra violet) (UV) પ્રકાશનું શોષણ કરવા માટે જવાબદાર છે ?

57) રશીદ રોવર (Rashid Rover) છે.

58) સંરક્ષણ ઉત્પાદનના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા કયું પોર્ટલ લોન્ચ કર્યું છે?

59) REN 21 શું છે ?

60) કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈ.સ. 1793 માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં જમીનદારે જમીન મહેસૂલના કેટલા ભાગ સરકારને જમા કરાવવાના રહેતા હતા?

61) અકબરે બાબર-હુમાયુના સમયની મુલ્કી અને લશ્કરી સેવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સુવ્યવસ્થિત અને સુવિકસિત કરી હતી?

62) પ્લાસીનું યુદ્ધ ………..માં લડાયું હતું.

63) જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે સૌરાષ્ટ્ર સહિત, ગુજરાતમાં ............ દેશી રજવાડા હતા. ખાલી જગ્યા પૂરો.

64) 'ચાલો, વેદ તરફ પાછા વળીએ' - આ વિધાન કોણે કહ્યું?

65) નીચેના વાક્યો ચકાસો:

1. રાજા રામ મોહન રાય દ્વારા બ્રહ્મસમાજની સ્થાપના કરવામાં આવેલ હતી.
2. મહાત્મા જ્યોતીબા ફુલેએ કન્યા કેળવણી માટે વિદ્યાલયો અને અનાથાલયો શરૂ કરેલ હતા. “સત્યશોધક સમાજ'ની સ્થાપના તેઓએ કરેલ હતી.

66) ફોર્ટ વિલિયમ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. અંગ્રેજોએ ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરતાં સિરાજ-ઉદ્દ-દૌલા રોષે ભરાયો.
2. ફોર્ટ વિલિયમ આજે કોલકાતા તરીકે ઓળખાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

67) આપેલાં પરિચ્છેદની ખાલી જગ્યા પૂરો.

અમદાવાદમાં ……………….જોઈ હું મુનસર તળાવ જોવા માટે …………………..ગઈ
પણ મને પાટણનું ……………… તળાવ વધારે ગમ્યું. હવે મારે અશોકનો શિલાલેખ
જોવા ………….. જવું છે. ત્યાં હું પણ જોતી આવીશ.
નીચેનામાંથી યોગ્ય ક્રમનો વિકલ્પ પસંદ કરો.

68) નીચેનામાંથી કયા ગ્રંથમાં આધુનિક દશાંશ પદ્ધતિની ચર્ચા થયેલી છે?

69) મોરોધરો ………....

70) હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયિકા બેગમ પરવીન સુલતાનાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. બેગમ પરવીન સુલતાના આસામી હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયિકા છે.
2. તે પટિયાલા ઘરાનાના સદસ્યા છે.
3. તેણીને ઠુમરીના રાણી કહેવામાં આવે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

71) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. તેમણે વેસરા શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું.
2. તેમના માળખાકીય મંદિરો આયહોલ (Aihole), બદામી (Badami) અને પટ્ટડકલ (Pattadakal) ખાતે અસ્તિત્વમાં
3. તેમનું વહીવટી તંત્ર અત્યંત કેન્દ્રીયકૃત હતું.
ઉપરના વિધાનો સૌથી સચોટ રીતે કોના સંદર્ભમાં છે?

72) ગુજરાતના મંદિરો અને સ્થળની કઈ જોડી યોગ્ય નથી ?

73) પ્રાચીન ભારતમાં પ્રસિદ્ધ રમત શતરંજ કયા નામથી ઓળખાતી?

74) 2010માં યુનેસ્કોએ નીચેના પૈકી કયા લોકગીત તથા નૃત્યને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતોની સૂચિમાં સ્થાન આપ્યું છે?

75) યાદી-Iમાં આપેલ મંદિર સ્થાપત્ય શૈલીને યાદી-II માં આપેલ મંદિર અને તેના સ્થાને જોડો.

1. વેસરા શૈલી (i) લાડ ખાન મંદિર, કર્ણાટક
2. દ્રવિડીયન શૈલી (ii) મહાબલિપુરમ મંદિર, તામિલનાડુ
3. નાગર શૈલી (iii) કંડારીયા મહાદેવ મંદિર, ખજુરાહો, મધ્યપ્રદેશ

76) નીચેનામાંથી કઈ “મિશ્રિત ખેતી”ની મુખ્ય વિશેષતા છે?

77) યાદી-I માં આપેલા કિલ્લાઓને યાદી-II માં આપેલા તેમના જિલ્લા સાથે જોડો.

1. લાખોટાનો કિલ્લો i. દેવભૂમિ દ્વારકા
2. ધોરાજીનો કિલ્લો ii. જૂનાગઢ
3. ઉપરકોટનો કિલ્લો iii. રાજકોટ
4. જૂનો કિલ્લો iv. જામનગર
5. મોડપર કિલ્લો v. સુરત

78) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે?

1. બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓ ઈશાનથી નૈઋત્ય તરફ એક બીજાને સમાંતર વહી, કચ્છના નાના રણમાં તેમનાં પાણી ઠાલવે છે.
2. બનાસ નદીના પ્રવાહમાર્ગની લંબાઈ સરસ્વતી નદીના પ્રવાહમાર્ગની લંબાઈ કરતાં વધુ છે.
ઉપરના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

79) મહત્વપૂર્ણ શહેરો અને ઉદ્યોગની જોડી પૈકી કઈ જોડી સાચી નથી?

80) તરતા ટાપુઓ (Floating islands) એ ભારતના કયા સરોવરની વિશિષ્ટ લાક્ષણિકતા છે?

81) ભારતની આઝાદી પહેલા ગુજરાતનું કયું સ્થળ ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું?

82) ગુજરાતના અભયારણ્ય અને જીલ્લાને જોડો.

1. ખીજડિયા અભયારણ્ય : a. જામનગર,
2. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય : b. રાજકોટ
3. રતન મહાલ અભયારણ્ય : c. દાહોદ
4. મીતીયાણા અભયારણ્ય : d. અમરેલી

83) અરવલ્લીની ગિરિમાળા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તે વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાઓ પૈકીની એક છે.
2. માઉન્ટ આબુ એનું સૌથી ઊંચું શિખર છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

84) દલદલ પ્રકારની જમીન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. આ જમીનમાં ક્ષારો અને જૈવિક પદાર્થો ઓછા હોય છે.
2. આ જમીનમાં પોટાશ અને ફોસ્ફેટ વધારે પ્રમાણમાં હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

85) વનસ્પતિકોષમાં કોષદીવાલ શેની બનેલી હોય છે ?

86) સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ શામાં થાય છે ?

87) તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલુ છે ?

88) ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

89) કઈ સ્થિતીએ સુર્યગ્રહણ થાઇ છે ?

90) વનસ્પતિના બધા અંગોમાં ખોરાકનું વહન કઈ વાહકપેશી દ્વારા થાય છે ?

91) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં ક્યું વિટામીન મદદરૂપ છે ?

92) સર્વપ્રથમ જે ઘેટાંને ક્લોન કર્યું તેને કઈ સાલમાં ક્લોન કરવામાં આવ્યું હતું ?

93) વ્યાપક પરમાણુ-પરીક્ષણ-પ્રતિબંધ સંધિ (CTBT) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. CTBT લશ્કરી અથવા નાગરિક હેતુઓ માટેના તમામ પરમાણુ પરીક્ષણ વિસ્ફોટો પર પ્રતિબંધ મૂકે છે.
2. CTBT વૈશ્વિક સ્તરે અમલમાં આવ્યું છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પરમાણુ પરીક્ષણને ગેરકાયદેસર બનાવે છે.
3. ચીન અને યુ.એસ.એ CTBT પર હસ્તાક્ષર કર્યા છે પરંતુ બહાલી આપી નથી, જ્યારે ભારતે તેના પર હસ્તાક્ષર પણ કર્યા નથી અને બહાલી પણ આપી નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

94) સામાન્ય રીતે, ખાદ્ય ધિરાણ ફુગાવો પેદા કરી શકે છે, પરંતુ તે અંકુશ કરી શકાય છે, જો .....................

95) ભારતની વિદેશ નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયા પાયાના સિધ્ધાંતો છે તેનો વિકલ્પ પસંદ કરો.

1. નિઃશસ્ત્રીકરણ
2. વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ
3. યુનોમાં વિશ્વાસ
4. સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદનો વિરોધ
5. એશિયા અને આફ્રિકાના દેશો સાથે સહકાર
6. બિનજોડાણની નીતિ

96) નીચેના વાક્યો ચકાસો.

1. ભારતે 450 ગીગા વૉટ રિન્યુએબલ એનર્જીના મહત્વાલક્ષી લક્ષ્યાંકો નક્કી કરેલ છે.
2. આ લક્ષ્યાંકોમાં સૌર ઉર્જા પવન ઉર્જા બાયોમાસ અને નાના હાયડ્રોપાવરના ઉત્પાદનનો સમાવેશ થાય છે.
3. LED લાઈટીંગ સ્માર્ટ મીટર વગેરે સાધનોના ઉપયોગથી વીજળીનો વપરાશ ઘટાડવા પ્રયત્ન કરવાનો રહે છે.

97) ભારતમાં આર્થિક સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સમગ્રલક્ષી સ્થિરતા (મેક્રો ઇકોનોમિક) સ્ટેબિલાઇઝેશનનો હેતુ અર્થતંત્રમાં પુરવઠો વધારવાનો હતો.
2. માળખાકીય સુધારાનો ઉદ્દેશ અર્થતંત્રમાં માંગને નિયંત્રિત કરવાનો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

98) ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનીકો અને તેઓના કાર્યક્ષેત્ર વિષયની કઈ જોડી યોગ્ય નથી?

99) રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ, (Red Hearing Prospectus) જે સમાચારોમાં જોવા મળે છે તે કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

100) પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. આ યોજના પાકોની સાંકડી શ્રેણીને આવરી લે છે, જેમાં ફક્ત ખાદ્યન્ન અને વાવેતર પાકો સામેલ છે, પરંતુ રોકડિયા પાકો નહીં.
2. PMFBY રાજ્યો માટે સ્વૈચ્છિક છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?


Up