PSI Exam 2026 Mock Test Paper 1B (3)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સ્વ. શ્રી શ્યામાપ્રસાદ મુખરજીએ કુલપતિ તરીકેની સેવા નીચેનામાંથી કયા વિશ્વવિદ્યાલયના આપેલી?

2) રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કે સંબંધિત થયેલ પ્રગતિની માહિતી મળી શકે તે માટે શરૂ કરાયેલ પહેલ એટલે..

3) વિશ્વ શૌચાલય દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લા ખાતે ગ્રામ પંચાયત અને સખીમંડળ વચ્ચે MoU કરીને કરવામાં આવી હતી?

4) મુખ્યમંત્રીશ્રીએ .............. મહાનગરપાલિકાના વૉટ્સએપ ચેટબોર્ડની ઓનલાઇન પેમેન્ટ સુવિધાનું લોન્ચિંગ કર્યું?

5) નીચેનામાંથી કયા દેશના પ્રતિનિધિઓએ ગુજરાતના સેમીકંડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી?

6) ગુજરાતના ખેલાડીઓને આગામી ઓલિમ્પિક્સ માટે સજ્જ કરવામાં નીચેનામાંથી કયો દેશ સહકાર આપશે?

7) છેલ્લા બે દાયકામાં રાષ્ટ્રીય જીડીપીમાં ગુજરાતનું યોગદાન ૫.૧ ટકાથી વધીને કેટલા ટકા થયું છે?

8) રાષ્ટ્રીય એકતા દિવસે ઇસરોના ચૅરમૅનશ્રી ………………. એ SoUની મુલાકાત લઈ ભારતની એકતાના અદ્ભૂત અનુભવના સાક્ષી બનવા પર ગર્વની લાગણી વ્યક્ત કરેલી.

9) વિના મૂલ્યે બીજ વિતરણ કરતી 'વંદે વસુંધરા બીજ બૅન્ક' શરૂ કરનાર શ્રી રાજેશભાઈ બારૈયા કયા જિલ્લાના વતની છે?

10) બજેટ ૨૦૨૬-૨૭ મુજબ, દેશની સૌથી મોટી 'નમો સેન્ટ્રલ લાઈબ્રેરી' ક્યાં સ્થાપવામાં આવશે?

11) રાજ્ય સરકાર દ્વારા આદિજાતિની મહિલાઓના આર્થિક શક્તીકરણ માટે નીચેમાંથી કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?

12) નીચેનામાંથી કયા મહાનુભાવ ધરતી આબા (ધરતીના પિતા) તરીકે ઓળખાય છે?

13) સરદાર @ ૧૫૦: યુનિટી માર્ચના પ્રસ્થાન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત ..... ના મુખ્યમંત્રીશ્રીએ હાજરી આપી હતી.

14) ગુજરાતની સખી મંડળની મહિલાઓ દ્વારા બનાવાયેલ પરંપરાગત શિયાળાના પૌષ્ટિક ઉત્પાદનોનું પ્રીમિયમ શિયાળુ હેમ્પર કેટલોગનું નામ શું છે?

15) અનેક ઔષધીય ગુણોથી ભરપૂર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં 'જંગલી ચીકુ' તરીકે ઓળખાતા ફળનું નામ શું છે?

16) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવની મોરી ખાતે આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા દેશમાં પ્રદર્શન માટે મોકલવાની જાહેરાત કરી છે?

17) મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ .............ની નાસાપુરમ લેસ ક્રાફ્ટને GI ટેગ મળ્યાનો ઉલ્લેખ કર્યો હતો.

18) વર્ષ ૨૦૨૬-૨૭ ના અંદાજપત્રમાં જાહેર કરાયેલ GEPC એટલે ગુજરાત સ્ટેટ ............. પ્રમોશન કાઉન્સિલ.

19) ૭૭મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં સીઆરપીએફની પુરુષ ટીમનું નેતૃત્વ કરનાર ૨૬ વર્ષીય સહાયક કમાન્ડન્ટનું નામ શું હતું?

20) ........ જિલ્લાના પીપરાળા ગામે શ્રી વીર યદુવંશી દગાયચાદાદા મંદિરનો પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ ગયો.

21) “સોમનાથઃ ધ શ્રાઈન એટર્નલ” પુસ્તકના લેખક કોણ છે?

22) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે નીચેનામાંથી કયા જિલ્લામાં 10 લાખ વૃક્ષો ધરાવતા 'નમો વન'નું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું?

23) ગુજરાતની પાંચમી રામસર સાઈટ બનનાર છારી-ઢંઢ નીચેનામાંથી કયા જિલ્લામાં આવ્યું ?

24) રાજ્યમાં પ્રથમવાર કયા જિલ્લાની APMCએ સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીને “નિર્મલ” બ્રાન્ડના નામથી સિંગતેલનું વેચાણ શરૂ કર્યુ છે?

25) કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે નીચેનામાંથી કયા જિલ્લા ખાતે દેશની પ્રથમ બી.એસ.એલ.-૪ લંબનો શિલાન્યાસ કર્યો હતો?

26) વિજયનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો નીચેના પૈકી કયા હતા?

1. ઊંચા ગોપુરમ
2. સ્તંભ સાથેના કલ્યાણ મંડપ
3. સ્તંભ ઉપર શિલ્પનો અભાવ
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

27) નીચેનામાંથી કયું 1857ના વિપ્લવનું પરિણામ નથી?

28) નીચેના વાક્યો ચકાસો.

1. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના માર્ચ 2009માં થયેલ હતી.
2. આ બંધારણીય સંસ્થા છે.
3. આયોગમાં અધ્યક્ષ ઉપરાંત 8 સભ્યો હોય છે.

29) સમાજ સુધારકશ્રી અને તેઓ એ શરૂ કરેલ સંસ્થાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

30) હિંદી રાષ્ટ્રીય મહાસભા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તેનું પ્રથમ અધિવેશન મુંબઇમાં મળ્યું હતું.
2. તેમાં આજીવન મહામંત્રીપદે ગાંધીજીની નિમણૂક કરવામાં આવી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

31) રાજ્યમાં ગેરવ્યવસ્થા (Misgovernance) ના બહાના હેઠળ ડેલહાઉસી દ્વારા કયા રાજ્યને ખાલસા કરવામાં આવેલ હતું?

32) મોરબીના પ્રજાપ્રિય રાજવી વાઘજી-બીજાની સ્મૃતિમાં બંધાવેલ બાવલુના શિલાલેખમાં તેમને કયા નામે દર્શાવેલ/વર્ણવેલ છે ?

33) ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયાકિનારો છે?

34) કયો મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે?

35) પૃથ્વીના ખંડો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. આફ્રિકા ખંડમાંથી કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત પસાર થાય છે.
2. યુરોપ ખંડમાંથી કર્કવૃત, વિષુવવૃત કે મકરવૃત પસાર થતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

36) ગંગા નદીના પ્રવાહને બાંગ્લાદેશમાં…………….…. નામે ઓળખાય છે.

37) ગુજરાતનાં કયા બંદરને “પેટ્રો રસાયણ બંદર” તરીકે પણ ઓળખવામાં આવે છે?

38) સાબરમતી અને વાત્રક નદીઓના સંગમ સ્થાનનું સ્થળ .............. છે.

39) તરાઈના જંગલો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ભાગલા પછી પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ખેતીલાયક જમીન આપવા આ જંગલ કાપવામાં આવેલું.
2. દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન આ ક્ષેત્રમાં આવેલો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

40) ચંબલ નદી (Chambal River)ના સંદર્ભમાં નીચેના વાક્યો ચકાસો.

1. ચંબલ નદી, ગંગાની ઉપનદી (Tributary) છે.
2. કુન્નુ, પાર્વતી અને મેગીન્દ નદીઓ, ચંબલ નદીની ઉપનદીઓ છે.

41) સલાલ યોજના એ ............ નદી ઉપર છે.

42) ખીર ભવાની મંદિર કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં છે?

43) ગુજરાતની આદિજાતિઓમાં ભીલ જાતિ પછી સંખ્યાની દૃષ્ટિએ બીજા નંબરે………… આવે છે.

44) કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?

45) સલ્તનત કાલીન સ્થાપત્યને શું કહેવામાં આવે છે?

46) “છ વેદ સૂત્રો” અને “ચાર મૂળસૂત્રો' નામે સાહિત્ય કયા ધર્મ સાથે સુસંગત છે?

47) રઉફ એ કયા રાજ્યનો એક નૃત્ય પ્રકાર છે, જે સ્ત્રીઓ દ્વારા વસંતઋતુના સ્વાગતમાં કરવામાં આવે છે?

48) કીર્તિ મંદિર શાના માટે જાણીતું છે?

1. મહાત્મા ગાંધીનું જન્મસ્થળ
2. સરદાર પટેલનું જન્મસ્થળ
3. ભાવનગરમાં આવેલું ગાંધી સંગ્રહાલય
4. મહારાજા ગાયકવાડની સમાધિ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

49) સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી છે?

50) ફિલ્મ સાથે સંકળાયેલ વ્યક્તિ અને ફિલ્મની જોડી નીચે આપેલ છે. તે પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?

51) વાહકતારની અવરોધકતા શેના પર આધારિત છે ?

52) બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યા રાખતાં તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે ?

53) ગુરુદૃષ્ટિની ખામી બીજા ક્યા નામે ઓળખાય છે ?

54) જ્યારે મેન્ડલે ઊંચા છોડનું વામન છોડ સાથે સંકરણ કર્યું ત્યારે F2 પેઢીમાં વામન છોડનું પ્રમાણ કેટલું હતું ?

55) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ?

56) સ્રીકેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ કયા નામે ઓળખાય છે ?

57) NACOનું પૂરું નામ જણાવો.

58) દ્રાવણમાથી શુદ્ધ પાણી મેળવવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરવામા આવે છે ?

59) ઈસરો(ISRO)એ ભારતીય ખાનગી ઉદ્યોગને કઈ ટેક્નોલોજી ટ્રાન્સફર કરવામાં તેની રૂચિ જાહેર કરી છે?

60) TSAT-1A ઉપગ્રહ, જે SpaceXના ફાલ્કન 9 રોકેટ પર અવકાશમાં મૂકવામાં આવ્યો છે, તેનું નિર્માણ.........

61) Epoxy રેસીન એ ............... તરીકે ઉપયોગમાં લેવાય છે.

62) ભારતીય મહિલાઓમાં વનસ્પતિ ક્ષેત્રે નીચેનામાંથી કોણે નોંધપાત્ર ફાળો આપ્યો છે ?

63) નીચેનામાંથી પૃથ્વીની આંતરિક સંરચનાની માહિતી પ્રાપ્ત કરવાના અપ્રત્યક્ષ સ્રોત કયા છે?

1. ઉલ્કાપીંડ
2. ગુરુત્વાકર્ષણ
3. ચુંબકીયક્ષેત્ર
4. ભૂકંપ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

64) 1. પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધ્રુવો પર શૂન્ય થઈ જાય છે.
2. પૃથ્વી સૂર્યની સૌથી નજદીક હોઈ, તેવી સ્થિતિ પ્રત્યેક વર્ષે 3 જાન્યુઆરીના રોજ આવે છે.

65) કોના ઉત્પાદન માટે “લાકડુ” મુખ્ય કાચો માલ છે ?

66) ડેડ ઝોન (Dead Zones) અંગે નીચેના વાક્યો ચકાસો.

1. આ વિસ્તારના પાણીમાં પ્રાણવાયુ ખુબજ પ્રમાણમાં હોય છે.
2. માનવ પ્રવૃત્તિઓથી અતિષય પોષક પ્રદૂષણને કારણે આ બાબત ઉદ્ભવે છે.
3. ક્લાયમેટીક ફેરફારના કારણે આનો વિસ્તાર વધી શકે છે.

67) સીક બિલ્ડિંગ સિન્ડ્રોમ મુખ્યત્વે શાના કારણે થાય છે?

68) ભારતમાં કેન્દ્રીય બેંકીંગ કામગીરીઓ .............. દ્વારા કરવામાં આવે છે.

1. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
3. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા
4. પંજાબ નેશનલ બેંક

69) ગુજરાતના નાગરિકો માટે “મહેસૂલમાં ક્રાંતિ” કાર્યક્રમ અંતર્ગત મહેસૂલી સેવા સરળ અને ઝડપી બને તે માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે?

70) નીચેના વાક્યો ચકાસો.

1. નીતિ આયોગની રચના ભારત સરકારના કેબિનેટ સચિવાલયની સૂચના (નોટીફીકેશન)થી થયેલ હતી.
2. નીતિ આયોગની રચના 1 જાન્યુઆરી 2016 ના રોજ કરવામાં આવેલ છે.
3. નીતિ આયોગના અધ્યક્ષ તરીખે ભારતના માન. વડા પ્રધાન કાર્યવંત છે.

71) FDI નો સંદર્ભ....

72) ગીલ્ટ-એજ્ડ માર્કેટ (Gilt-edged market) ને અર્થ

73) ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાનો અપેક્ષિત લાભ નીચેનામાંથી કયો નથી?

74) કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન ભારતે મિશ્ર અર્થતંત્રની પસંદગી કરી હતી?

75) નિકાસ ઉત્કૃષ્ટતા શહેર (Towns of export excellence) ના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો :

1. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય મુજબ 750 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની વસ્તુઓના ઉત્પાદન કરનાર શહેરને વિકાસ ઉત્કૃષ્ટતા શહેર તરીકે માન્યતા આપી શકાય છે.
2. જોકે, હસ્તકલા, હસ્તશિલ્પ, ખેતી અને મત્સ્ય પાલન જેવા હેતુમાં વિકાસ ઉત્કૃષ્ટતા શહેરમાં સમાવેશ માટે લઘુત્તમ સીમા 150 કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.

76) જો કોઈ લોકસભાનો સભ્ય અધ્યક્ષની પરવાનગી વિના સતત 60 (સાઠ) દિવસ સુધી ગેરહાજર રહે તો...

77) આપણા રાષ્ટ્ર ધ્વજની પહોળાઈનો તેની લંબાઈ સાથેનો ગુણોત્તર ………. છે.

78) રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?

79) બંધારણસભાની પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા?

80) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 અન્વયે રચાયેલ બોર્ડ ઓફ પ્રાયમરી એજ્યુકેશનમાં કુલ ……. સભ્યો રહેશે જે પૈકી.......... સભ્યોની ચૂંટણી શાળા બોર્ડ દ્વારા નિયત કર્યા મુજબ થશે.

81) નીચેના વાક્યો ચકાસો.

1. ભારતના સંવિધાનમાં 43મો અને 87મો સુધારો કરીને સંવિધાનમાં મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવેલ છે.
2. ભારતના સંવિધાનની કલમ 52-કમાં મૂળભૂત ફરજોની ચર્ચા કરવામાં આવેલ છે.

82) ભાષા આધારિત રાજ્યની રચનાની માંગ પર પુનર્વિચાર કરવા માટે The State Reorganization Commissionની રચના 1953માં કરવામાં આવી હતી. જેનું નેતૃત્વ………………..એ કર્યું હતું.

83) રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી માટે બંધારણમાં નિર્ધારિત મહત્તમ વય કેટલી છે?

84) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એક ....…

85) માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા આના દ્વારા અપનાવવામાં આવી હતીઃ

86) વિધાનસભા અને વિધાન પરિષદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. વિધાનસભાના સભ્યપદ માટે 25 વર્ષ કે તેથી વધુ વય જરૂરી છે.
2. વિધાન પરિષદના સભ્યપદ માટે 30 વર્ષ કે તેથી વધુ વય જરૂરી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

87) નીચેનામાંથી કયો, પંચાયતી રાજ વ્યવસ્થાનો હેતુ માનવામાં આવે છે ?

88) અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે?

89) કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા બાળકો માટે કામ કરે છે?

90) 1960માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત જનજાતિ અંગે આયોગની નિમણૂંક કરેલ. આ આયોગના અધ્યક્ષ કોણ હતા?

91) 74માં બંધારણીય સુધારા હેઠળ નગરપાલિકાને બંધારણીય માન્યતા આપવા માટે કયો ભાગ ઉમેરવામાં આવેલ હતો ?

92) નીચેના પૈકી કોણ વિખ્યાત ગુજરાતી નવલકથાકાર હતા કે જેઓ બંધારણ સભાના સભ્ય પણ હતા?

93) ...................“ભારત છોડો' આંદોલનનો પ્રારંભ થવાનું નિમિત્ત બન્યોઃ

94) OBCs માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત નિયમનો અપવાદ (exception) ……... બંધારણીય સુધારા અધિનિયમ 2005 દ્વારા ઉમેરવામાં આવ્યો.

95) બંધારણના સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. બંધારણીય સુધારાનો ખરડો માત્ર લોકસભામાં દાખલ થઈ શકે છે.
2. આવો ખરડો કેન્દ્રના મંત્રી દ્વારા અથવા ખાનગી સંસદ સભ્ય દ્વારા દાખલ કરી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

96) નીચે વિષયવસ્તુ અને કલમની જોડી આપેલ છે. કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

97) ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે?

1. ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર.
2. કાનૂની વ્યવસાયી દ્વારા સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો અધિકાર.
3. જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે, તો 24 કલાક પછી મુક્ત થવાનો અધિકાર.

98) નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે?

1. સેવાકાળની બાંયધરી (Security of tenure)
2. નિશ્ચિત સેવાની શરતો (Fixed Service Conditions)
3. ભારતના એકત્રીત ભંડોળ પર વસૂલવામાં આવતા ખર્ચ (Expenses being charged on the Consolidated Fund of India)
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

99) કિશોરો માટેના કેર હોમ્સ પછીની નીચેની કઈ બંધારણીય જોગવાઈને અનુરૂપ છેઃ

100) નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

I. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2019 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
II. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ દ્વારા લદ્દાખ વિધાનસભા વિનાનું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું.


Up