પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 06 (Paper 2)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 120

કુલ ગુણ: 120

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 20 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 120 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ?

2) ‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી ?

3) દિલ્હી સલ્તનતનો સુલ્તાન કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14 મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો?

4) જગતમંદિરને કેટલા માળનો વિશાળ મંડપ છે ?

5) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.

6) "ધી પંજાબ" અને "ધ પ્યુપિલ" આ બે વર્તમાનપત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા ?

7) અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?

8) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ?

9) નીચેના વાક્યો ચકાસો:

1. પલ્લવ વંશના રાજવીઓએ મહાબલિપુરમ્ મંદિરની રચના કરેલ હતી. મુળ સાત ખડકમંદિરો હતા, જ્યારે આજે પાંચ મંદિરો હયાત છે.
2. કોણાર્કનું સૂર્યમંદિર, કાળા પથ્થરોથી બનેલ છે. તેથી તેને “કાળા પેગોડા' નામથી પણ ઓળખવામાં આવે છે, મોઢેરા ખાતેનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજવીએ બંધાવેલ હતું.

10) ક્યા અંગ્રેજ અધિકારીની ભલામણથી મુંબઈ, મદ્રાસ (ચેન્નાઈ), કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી ?

11) મોઢેરાનું સૂર્ય મંદિરની છતને આઠ થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે. આ થાંભલાઓનો આકાર કેવો છે ?

12) સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો.

13) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ ક્યો સત્યાગ્રહ કર્યો હતો?

14) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ ‘છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ ક્યો ?

15) ગુજરાતના કયા શાસકે મહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી ?

16) પાટણની પ્રસિદ્ધ ‘રાણકી વાવ’ કોણે બંધાવી હતી ?

17) ‘મિડનાઈટ્સ ચિલ્ડ્રન’ પુસ્તકના લેખક કોણ ?

18) સાચો વિકલ્પ જણાવો.

1. દૂબળા જાતિના લોકો ‘દિવાસો' (અષાઢ વદ અમાસના) દિવસે કપડાં-ચીંથરામાંથી જીવતા માણસના કદના મોટા ઢીંગલાં બનાવે છે. આ ઢીંગલાંને ટોપો, કોટ, પાટલુન, ટાઈ પહેરાવેલ હોય છે, મોંમા ચિરુટ કે સીગરેટ પણ ખોસેલી હોય, આ ઢીંગલાંનું સરઘસ નદીકિનારે જાય અને પછી “ઢીંગલા'નું વિસર્જન કરવામાં આવે.
2. ભરૂચ જિલ્લાની ભાઈ પ્રજા અષાઢ સુદ દશમનો દિવસ મેઘરાજાના ઉત્સવ તરીકે ઊજવે છે. મેઘરાજાની માટીમાં બનાવેલી પ્રતિમાની દસ દિવસ પૂજા કરે છે, દસમે દિવસે એ પ્રતિમા લઈને ગામમાં મેઘરાજાની છડી (સરઘસ) નીકળે છે. અંતે ગામ બહાર નદી તળાવમાં એ પ્રતિમાને પધરાવવામાં આવે છે.

19) કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે?

20) સંગીતના વાદ્ય અને સંગીતના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી?

21) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ?

22) ‘‘ત્રિમૂર્તિ’ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે?

23) બિહુ નૃત્ય ક્યા રાજ્યનું છે ?

24) કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય ક્યું છે ?

25) ‘સાકેત’ નામે કઈ નગરી જાણીતી છે ?

26) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કર્યો વિકલ્પ સાચો નથી?

27) રાજા રવીવર્મા ક્યા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે ?

28) તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર પર ભીંતચિત્રની તકનીક .............. તરીકે જાણીતી છે.

29) નીચેના પૈકી કઈ વાર્તા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે ?

30) તામીલનાડુનું પ્રખ્યાત લોકનાટય કયું છે?

31) ગિરનારની ટેકરીઓના શિલાલેખો અનુસાર, આશરે ઈ.સ. પૂર્વે 250માં કયા શાસકે તેનું પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં વિસ્તાર્યું હતું ?

32) માઉન્ટ આબુ, રાજસ્થાન રાજ્યની ................. નું સૌથી ઊંચુ શિખર છે.

33) પાંચ પાંડવ ગુફા ...

34) નીચેના વાક્યો ચકાસો:

1. ભારતમાં દર ચોરસ કિલોમીટર વિસ્તારમાં 100 થી વધારે માનવગીચતા ધરાવતા પ્રદેશોમાં સતલુજ, ગંગાના મેદાનો, બ્રહ્મપુત્રા, મહા, કૃષ્ણા, કાવેરી અને ગોદાવરીના મુખત્રિકોણ પ્રદેશનો સમાવેશ થાય છે.
2. દર ચોરસ કિલોમીટરે 10 થી ઓછી વસ્તીગીચતા ધરાવતા પ્રદેશોમાં બિકાનેર, બાડમેર, જેસલમેર જીલ્લાના અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે.

35) નીચેના વાક્યો ચકાસો:

1. પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ 54.86 કરોડ ચો.કિ.મી. છે અને તેમાં મહાસાગર, સમુદ્રો અને પૃથ્વી ભૂમિખંડોનું પ્રમાણ 71:29 ના પ્રમાણમાં છે.
2. દક્ષિણ ગોળાર્ધમાં જમીનનું પ્રમાણ વધારે છે અને પૃથ્વીનો લગભગ 81% વિસ્તાર આ ગોળાર્ધમાં છે.
3. ઉત્તર ગોળાર્ધમાં જળરાશિના વિસ્તારો વધારે છે અને લગભગ 90% પાણીવાળા વિસ્તારો છે.

36) ભારતમાં સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ કયું છે?

37) નવલખી વાવ ....................

38) ગુજરાતમાં ભારતીય જંગલી ગધેડાનું અભયારણ્ય.....................

39) મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે?

40) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. અરવલ્લીની ગિરિમાળા માળવાના ઉચ્ચપ્રદેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલી છે.
2. અરવલ્લી ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે.
3. અરવલ્લી ગિરિમાળા ગેડપર્વત સંરચના ધરાવે છે.

41) આઈએનએસ (INS) અરિઘાટ ...............

42) વૌઠા કઈ બે નદીઓનું સંગમ સ્થળ છે?

43) શિવરાય ટેકરીઓ ક્યાં આવેલી છે?

44) ગુજરાતમાં સૌથી ઉંચો પર્વત કયો છે ?

45) સાબરમતી નદી ………………ખાતેથી ઉદ્ભવે છે.

46) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું/ કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો.

1. આરક્ષિત જંગલોમાં ખેડૂતોને ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી.
2. ભારતના કુલ જંગલ વિસ્તારના 29.2% વિસ્તારમાં આરક્ષિત જંગલો આવેલા છે.

47) સાગનું વૃક્ષ કયા પ્રકારના જંગલોનું અગત્યનું વૃક્ષ છે?

48) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો (Tropical rain forest) મુખ્યત્વે ભારતમાં ક્યાં વૃક્ષો જોવા મળે છે?

1. સેમુલ (Semul)
2. ઈબોની (Ebony)
3. ભારતીય લોરેલ (Indian Laurel)
4. આમળા (Amla)

49) નિમ્નલિખિતમાંથી કોને ભૂમધ્ય સમુદ્રનું લાઈટ હાઉસ કહેવાય છે?

50) કર્ણાટકમાં રેશમના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો નીચેના પૈકી ક્યાં છે?

1. બેંગ્લોર
2. કોલાર
3. મૌસુર
4. બેલગામ

51) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડ્યુલ સમર્પિત છે ?

52) સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું?

53) ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય ક્યો છે ?

54) સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તસક હોય છે ?

55) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?

56) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ?

57) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

58) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે ?

59) મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે?

60) ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ?

61) વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ છે?

62) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ?

63) ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ?

64) બંધારણે ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપી છે ?

65) દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત .......ને હોય છે.

66) તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા ....... અને વધુમાં વધુ ...... સભ્યો ચૂંટાયેલા હોય છે.

67) સંસદમાં શેનો સમાવેશ થાય છે?

68) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે?

69) અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ (ડેપ્યુટી સ્પીકર) બંનેની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કોણ કરે છે ?

70) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો સભ્ય ન હોય તેવો કોઈ જાહેર સેવક, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 કે આ કાયદા હેઠળ બનાવેલ નિયમો મુજબ પોતાની ફરજો બજાવવામાં ઈરાદાપૂર્વક બેકાળજી દાખવે તો તેને નીચેના પૈકી કઈ સજા થશે?

71) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

72) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

73) નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનોવાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે કરે છે?

74) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે?

75) બંધારણમાં 74માં સુધારા અન્વયે કર્યાં અનચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી?

76) ભારતનાં સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે?

77) રાષ્ટ્રધ્વજ માટે કેવા પ્રકારનું કાપ્ડ જોઈએ?

78) ભારતના બંધારણની જોગવાઈઓ અંતર્ગત નવા રાજ્યની સ્થાપના કોણ કરી શકે?

79) ભારતમાં નાગરિકના અધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?

80) ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે?

1. ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર.
2. કાનૂની વ્યવસાયી દ્વારા સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો અધિકાર.
3. જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે, તો 24 કલાક પછી મુક્ત થવાનો અધિકાર.

81) સૂક્ષ્મ જીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળાં સેન્ટિ પદાર્થોમાં ફેરવે છે તેને શું કહે છે ?

82) ભારતીય અવકાશિ ઉપગ્રહ INSAT નુ પુરુ નામ શુ છે ?

83) પૃથ્વીની સપાટી પર કેટલો ભાગ પાણીથી ઢંકાયેલો છે ?

84) માત્ર દુધ પર રહેલા બાળકો મા કયા વિટમીનની ઉણપ હોય છે ?

85) ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતાં કંપનના કંપ વિસ્ત ના સમપ્રમાણમાં હોય છે ?

86) ગરમીનો શ્રેઠ સવાહક કયો છે ?

87) લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે

88) ઈન્સ્યુલીન શુ છે ?

89) નીચેના પૈકી ક્યું વિટામીન છે?

90) બેક્ટેરિયાને નાસ કયો વાયુ કરે છે ?

91) માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે ?

92) “એટ ધી ક્લોઝ ઓફ પ્લે’’ નામની આત્મકથા નીચેના પૈકી કોની છે?

93) નીચેનું કયું જોડકું બંધ બેસતું નથી?

94) નીચેનામાંથી સૌથી સામાન્ય રીતે વપરાતું અર્ધવાહક (સેમીકંડકટર) કયું છે?

95) “USB”નું પૂર્ણ સ્વરૂપ શું છે?

96) DBMS નું પૂરૂ નામ ............

97) નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 2016માં કયું મોબાઈલ પેમેન્ટ એપ વિકસવામાં આવ્યું છે?

98) “ગુડ ગવર્નન્સ ડે” કોના જન્મદિવસે મનાવવામાં આવે છે?

99) અન્નપ્રાશન દિવસ આંગણવાડીમાં કયારે ઉજવાય છે?

100) વનોના સંરક્ષણ-સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને ‘‘વિશ્વ વન વર્ષ’’ તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે?

101) દર વર્ષે ભારતમાં 16 ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ?

102) મુંદ્રા પોર્ટ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તે ભારતનું સૌથી મોટું વાણિજ્યિક બંદર છે.
2. તે ગુજરાતના કચ્છમાં આવેલું છે.
3. મુંદ્રા પોર્ટની માલિકી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ) પાસે છે.

103) નીચેનામાંથી ભારતનો પ્રથમ PM મિત્ર ટેક્સટાઈલ પાર્ક ક્યાં મંજૂર કરવામાં આવ્યો ?

104) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ગુજરાતમાં ડાયરેકટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સિંહની વસતી ગણતરી હાથ ધરવામાં આવશે.
2. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસતી ગણતરી હાથ ધરવામાં આવી હતી.

105) તાજેતરમાં વડાપધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે પ્રાણી બચાવ અને પુનર્વસન કેંદ્ર 'વનતારા'નું ઉદઘાટન કર્યું હતું?

106) તાજેતરમાં ક્યા જિલ્લામાં ભાતીગળ માધવપુર મેળો યોજાયો હતો ?

107) નાણાકીય વર્ષ 2025-26 માટે મનરેગાનું વેતન વધારી કેટલું કરાયું?

108) નીચેનમાંથી ગુજરાતનું પ્રથમ ગોલ્ડ ATM મશીન ક્યાં મૂકવામાં આવ્યું ?

109) નાણાકીય વર્ષ 2024-25માં 200 મિલિયન મેટ્રિક ટન (MMT)થી વધુ કાર્ગો વૉલ્યુમ સંભાળનારું પહેલું ભારતીય બંદર ક્યું છે ?

110) તાજેતરમાં હરિયાણાના ભિવાની જિલ્લામાં બે હડપ્પા સ્થળો મળી આવ્યા તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. મિતાથલ : સમ્રાટ સમુદ્રગુપ્તના સિક્કાઓનો ભંડાર મળી આવ્યો.
2. તિઘરાના: સોથિયન નામથી ઓળખાતા તામ્રપાષાણ કૃષિ સમુદાયોના નિવાસના પુરાવા મળી આવ્યા.

111) નીચેનામાંથી 6 માસથી 6 વર્ષ સુધીના બાળકની ડે-કેર સુવિધા પૂરી પાડવા પાલના યોજના ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?

112) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે.
2. ચોથા નાણાં પંચના કાયમી સભ્ય તરીકે જયંતીલાલ પટેલ, સુનીલ સોલંકી અને અભયસિંહ ચૌહાણનો સમાવેશ કરાયો છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

113) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં ગુજરાત પોલીસે ડ્રોન આધારિત સર્વેલન્સ મારફત ગુનાઈત બનાવો દરમિયાન પોલીસ પ્રતિભાવ સમય વધારવા માટે GP-DRASTI પ્રોજેક્ટ લૉન્ચ કર્યો.
2. GP-DRASTIનું પૂરું નામ ગુજરાત પોલીસ - ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઈન્ટરવેન્શન છે.

114) નીચેનામાંથી સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના વિષે યોગ્ય વિધાન/વિધાનો જણાવો.

1. ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા આ યોજના 5 એપ્રિલ, 2016ના રોજ લૉન્ચ કરાઈ હતી.
2. યોજનાનું અમલીકરણ નાણાં મંત્રાલય અંતર્ગતના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસીઝ દ્વારા કરવામાં આવે છે.
3. લખનઉ સ્થિત સ્મૉલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) આ યોજના માટે નોડલ એજન્સી છે.

115) તાજેતરમાં ISROના અધ્યક્ષ ડૉ.વી.નારાયણને કઈ સંસ્થા ખાતે શ્રી એસ.રામક્રિષ્ણન સેન્ટર ઓફ એક્સેલેન્સ (CoE)નું ઉદ્ઘાટન કર્યું હતું ?

116) તાજેતરમાં કેંદ્રીય મંત્રી સી.આર. પાટીલે જળ સંસાધન પહોંચ અને પારદર્શકતામાં સુધારા માટે કઈ પહેલ લૉન્ચ કરી ?

1. રિઝર્વોયર સ્ટોરેજ મોનિટરિંગ સિસ્ટમ (RSMS) પોર્ટલ.
2. જળ સંસાધન ગણતરી એપ્લિકેશન અને પોર્ટલ.

117) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં દિલ્હી સરકારે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે.
2. મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત પ્રત્યેક પાત્ર મહિલાને દર મહિને રૂ.2,500 આપવામાં આવશે.

118) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ગોવા શિપયાર્ડ લિ. (GSL)એ બીજી ફિગેટ 'તવસ્યા' લૉન્ચ કરી છે.
2. તવસ્યાનો વિકાસ પ્રોજેક્ટ 1135.6 (યાર્ડ 1259) અંતર્ગત કરાયો છે.
3. તવસ્યા નામ મહાભારતમાં ભીમની ગદા પરથી લેવાયું છે.

119) ક્યા રાજ્યે મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાઝત શરૂ કર્યો?

120) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં બહુપક્ષીય દરિયાઈ યુદ્ધ કવાયત સી ડ્રેગન પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ગુઆમ તટે યોજાઈ હતી.
2. આ કવાયતની મેજબાની અમેરિકી નૌસેનાના 7મા કાફલાએ કરી હતી.


Up