સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025

  • બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ 22 ભાષાઓ ઉપરાંત અંગ્રેજી અને રાજસ્થાની એમ કુલ 24 ભાષાઓમાં આ પુરસ્કાર આપવામાં આવે છે.
  • ગુજરાતી ભાષા માટે જ્યુરીના સભ્ય: શ્રી બળવંત જાની, શ્રી મનોહર ત્રિવેદી અને પ્રોફેસર વિનોદ જોશી.

 

સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025ના મુખ્ય વિજેતાઓ

ભાષા

વિજેતા

કૃતિ

ગુજરાતી

યોગેશ વૈદ્ય

ભટ્ટખડકી (કવિતા)

હિન્દી

મમતા કાલિયા

જીતે જી અલ્હાબાદ (સંસ્મરણો)

અંગ્રેજી

નવતેજ સરના

ક્રિમસન સ્પ્રિંગ (નવલકથા)

 

યોગેશ વૈદ્ય

  • જન્મ વર્ષ: 1962
  • જન્મ સ્થળ: બગસરા, અમરેલી
  • તેઓ ગુજરાતી ભાષાના કવિ અને નિબંધકાર છે.
  • સાહિત્ય કાર્યો:
    • ભટ્ટખડકી (કાવ્યસંગ્રહ)
    • હું જ દરિયો, હું જ ભેખડ (કાવ્યસંગ્રહ)
    • સાંપ્રત અસમિયા કવિતા (અનુવાદ)
    • નવો ઉતારો (નિબંધ સંગ્રહ)
    • ગીરમાં વરસાદ (ગીત)
    • સગડ (મુક્તપધ)
    • જૂઈનાં પર્ણો (ગઝલ)
    • નેખમ (દીર્ધકાવ્ય)

 

સાહિત્ય અકાદમી પુરસ્કાર

  • ઇનામ રાશિ: તાંબાની તક્તી સાથે કાસ્કેટ, એક શાલ અને ₹ 1 લાખનું રોકડ ઇનામ.
  • પુરસ્કાર પ્રાપ્તકર્તાની પસંદગી કરતી વખતે લેખકના એકંદર સાહિત્યિક યોગદાન અને પ્રતિષ્ઠા જેવાં વધારાના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.
  • લેખક ભારતીય નાગરિક હોવા જોઈએ.
  • પુરસ્કાર જાહેર થયાના અગાઉનાં 5 વર્ષમાં (એટલે કે, વર્ષ 2024 માટે 1 જાન્યુઆરી, 2018થી 31 ડિસેમ્બર, 2022ની વચ્ચે) પ્રથમ વખત પ્રકાશિત થયેલા સૌથી ઉત્કૃષ્ટ પુસ્તકોના લેખકોને પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવે છે.

સાહિત્ય અકાદમી વિશે

  • શરૂઆત : ભારત સરકાર દ્વારા 1954માં
  • મુખ્ય મથક : નવી દિલ્હી
  • સાહિત્ય અકાદમીને નેશનલ એકેડેમી ઓફ લેટર્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • અકાદમી પુરસ્કારો, ફેલોશિપ, અનુદાન, પ્રકાશનો અને અન્ય પહેલો દ્વારા 24 ભારતીય ભાષાઓમાં સાહિત્યની જાળવણી અને પ્રોત્સાહન માટે આપવામાં આવે છે.
  • જેમાં અંગ્રેજી અને રાજસ્થાની સાથે ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સૂચિબદ્ધ 22 ભાષાઓનો સમાવેશ થાય છે.
  • સાહિત્ય અકાદમી દ્વારા 5 કેટેગરીમાં પુરસ્કારો આપવામાં આવે છે :
    1. સાહિત્ય અકાદમી પુરસ્કાર
    2. ભાષા સન્માન પુરસ્કાર
    3. અનુવાદ માટે પુરસ્કાર
    4. બાળ સાહિત્ય પુરસ્કાર
    5. યુવા પુરસ્કાર
  • જ્ઞાનપીઠ પુરસ્કાર પછી સાહિત્ય અકાદમી પુરસ્કાર એ ભારતનું બીજું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન છે.
  • ઈ.સ. 1955માં સૌપ્રથમ મહાદેવભાઈ દેસાઈને તેમની કૃતિ મહાદેવભાઈની ડાયરી” (ડાયરી સાહિત્ય) માટે ગુજરાતી ભાષા માટેનો આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  • નોંધ : વર્ષ 2023 વિનોદ જોશી (સૈરન્ધ્રી) માટે સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

 ------------------------------

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up