- બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ 22 ભાષાઓ ઉપરાંત અંગ્રેજી અને રાજસ્થાની એમ કુલ 24 ભાષાઓમાં આ પુરસ્કાર આપવામાં આવે છે.
- ગુજરાતી ભાષા માટે જ્યુરીના સભ્ય: શ્રી બળવંત જાની, શ્રી મનોહર ત્રિવેદી અને પ્રોફેસર વિનોદ જોશી.
સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025ના મુખ્ય વિજેતાઓ
|
ભાષા
|
વિજેતા
|
કૃતિ
|
|
ગુજરાતી
|
યોગેશ વૈદ્ય
|
ભટ્ટખડકી (કવિતા)
|
|
હિન્દી
|
મમતા કાલિયા
|
જીતે જી અલ્હાબાદ (સંસ્મરણો)
|
|
અંગ્રેજી
|
નવતેજ સરના
|
ક્રિમસન સ્પ્રિંગ (નવલકથા)
|
યોગેશ વૈદ્ય
- જન્મ વર્ષ: 1962
- જન્મ સ્થળ: બગસરા, અમરેલી
- તેઓ ગુજરાતી ભાષાના કવિ અને નિબંધકાર છે.
- સાહિત્ય કાર્યો:
- ભટ્ટખડકી (કાવ્યસંગ્રહ)
- હું જ દરિયો, હું જ ભેખડ (કાવ્યસંગ્રહ)
- સાંપ્રત અસમિયા કવિતા (અનુવાદ)
- નવો ઉતારો (નિબંધ સંગ્રહ)
- ગીરમાં વરસાદ (ગીત)
- સગડ (મુક્તપધ)
- જૂઈનાં પર્ણો (ગઝલ)
- નેખમ (દીર્ધકાવ્ય)
સાહિત્ય અકાદમી પુરસ્કાર
- ઇનામ રાશિ: તાંબાની તક્તી સાથે કાસ્કેટ, એક શાલ અને ₹ 1 લાખનું રોકડ ઇનામ.
- પુરસ્કાર પ્રાપ્તકર્તાની પસંદગી કરતી વખતે લેખકના એકંદર સાહિત્યિક યોગદાન અને પ્રતિષ્ઠા જેવાં વધારાના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.
- લેખક ભારતીય નાગરિક હોવા જોઈએ.
- પુરસ્કાર જાહેર થયાના અગાઉનાં 5 વર્ષમાં (એટલે કે, વર્ષ 2024 માટે 1 જાન્યુઆરી, 2018થી 31 ડિસેમ્બર, 2022ની વચ્ચે) પ્રથમ વખત પ્રકાશિત થયેલા સૌથી ઉત્કૃષ્ટ પુસ્તકોના લેખકોને પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવે છે.
સાહિત્ય અકાદમી વિશે
- શરૂઆત : ભારત સરકાર દ્વારા 1954માં
- મુખ્ય મથક : નવી દિલ્હી
- સાહિત્ય અકાદમીને ‘નેશનલ એકેડેમી ઓફ લેટર્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- અકાદમી પુરસ્કારો, ફેલોશિપ, અનુદાન, પ્રકાશનો અને અન્ય પહેલો દ્વારા 24 ભારતીય ભાષાઓમાં સાહિત્યની જાળવણી અને પ્રોત્સાહન માટે આપવામાં આવે છે.
- જેમાં અંગ્રેજી અને રાજસ્થાની સાથે ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સૂચિબદ્ધ 22 ભાષાઓનો સમાવેશ થાય છે.
- સાહિત્ય અકાદમી દ્વારા 5 કેટેગરીમાં પુરસ્કારો આપવામાં આવે છે :
- સાહિત્ય અકાદમી પુરસ્કાર
- ભાષા સન્માન પુરસ્કાર
- અનુવાદ માટે પુરસ્કાર
- બાળ સાહિત્ય પુરસ્કાર
- યુવા પુરસ્કાર
- જ્ઞાનપીઠ પુરસ્કાર પછી સાહિત્ય અકાદમી પુરસ્કાર એ ભારતનું બીજું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન છે.
- ઈ.સ. 1955માં સૌપ્રથમ મહાદેવભાઈ દેસાઈને તેમની કૃતિ “મહાદેવભાઈની ડાયરી” (ડાયરી સાહિત્ય) માટે ગુજરાતી ભાષા માટેનો આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
- નોંધ : વર્ષ 2023 વિનોદ જોશી (સૈરન્ધ્રી) માટે સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
------------------------------
Comments (0)